મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા શો છોડવા અંગે કરી સ્પષ્ટતા
શો તારક મહેતાને લઈને મોટા સમાચાર
શોને છોડવા અંગે બબીતાજીએ કહી આ વાત
શોમાં કેમ જોવા નથી મળી રહી મુનમુન દત્તા?
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સને અન્ટરટેન કરવાનો કોઈ મોકો નથી છોડતા. હાલ શોમાં રિઝોર્ટનો પ્લોટ દર્શાવવામાં આવી રહ્યો છે. સીરિયલમાં દર્શાવવામાં આવ્યું કે આખી ગોકુલધામ સોસાયટી રિઝોર્ટમાં પહોંચી ગઈ છે. આ સમયે એક્ટ્રેસ મુનમુન દત્તા શોમાંથી ગાયબ છે. જ્યાર બાદ એ અફવાઓ ઉડી રહી છે કે મુનમુનએ શો છોડી દીધો છે. હવે એક્ટ્રેસે આ બધી અફવાહો પર રિએક્શન આપ્યું છે.
મુનમુન દત્તાએ આપ્યું આવી રિએક્શન
મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા લખ્યું- 'પાછલા 2-3 દિવસથી અમુક વસ્તુઓ ખોટી રિપોર્ટ કરવામાં આવી રહી છે. જેણે મારા જીવન પર નેગેરિવ પ્રભાવ પાડ્યો છે. આ સંપૂર્ણ રીતે ખોટી વાત છે કે હું કામ પર નથી પહોંચી. હકીકત એ છે કે જે પણ સ્ટોરી દર્શાવવામાં આવી રહી છે. તેમાં મારી હાજરી જરૂરી નથી. માટે મને પ્રોડક્શનની તરફથી શૂટ કરવા માટે બોલાવવામાં નથી આવી. કયો સીન અથવા સ્ટોરીલાઈન ક્યારે થશે એ હું નક્કી નથી કરતી પ્રોડક્શન નક્કી કરે છે.'
'હું એક ઈન્ડિવિઝ્યુઅલ છું જે કામ પર જઉ છું અને મારૂ કામ કરીને પરત ફરી જાઉ છું. જો સીન્સમાં મારૂ જરૂર નથી. તો હું નિશ્ચિત રૂપથી શૂટિંગ પર નહીં જઉ. જો હું કોઈ પણ શો છોડુ, તો તેના વિશે હું જાતે જ કહી દઈશ. કારણ કે મને લાગે છે કે જે ફેન્સ આ શો સાથે ઈમોશનલી જોડાયેલા છે. તેમને સત્ય ખબર હોવી જોઈએ.'