રાજનેતા..એટલે કે એક એવું વ્યક્તિત્વ...કે જેના પાસેથી સમગ્ર દેશને ઘણી આશા હોય છે. પરંતુ આ રાજનેતાઓ વારંવાર તેમના વાણી વિલાસ,વર્તનને કારણે ચર્ચાઓમાં રહેતા હોય છે.કેટલીક વખત આ જ નેતાઓ તે ભૂલી જાય છે કે તેઓ જનપ્રતિનિધિ છે..તેમનું અસ્તિસ્તવ જનતાને કારણે જ છે. આ જ પ્રતિનિધિ બે હાથ જોડીને ક્યારેક મત પણ માગે છે..અને તે બાદ આ જ નેતાઓના હાથ જનતા પર ઉઠે પણ છે. જે પ્રતિનિધિઓ મુદ્દાઓને લઈને લડતા હોય છે..તે જ પ્રતિનિધિઓ પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે એક પણ થઈ જાય છે..જેમ કે પગાર વધારાની વાત હોય...કે પછી વિદેશમાં પ્રવાસની વાત હોય.આવુ જ કંઈક થઈ રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. જે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો મુદ્દાઓને લઈને આમને-સામને રહેતા આવ્યા હતા. તે જ કોર્પોરેટરો હવે એક સાથે વિદેશ ફરવા પણ જશે..એવા 192 કોર્પોરેટર છે જે પ્રજાના પૈસે ટૂર કરશે. એટલું જ નહીં તેમાં એક કોર્પોરેટરનો ફરવાનો ખર્ચ ઓછામાં ઓછો 35 હજારનો થશે..ત્યારે અહીં સવાલ એ છે કે પોતાના સ્વાર્થની વાતમાં કેમ નેતાઓ એક થઈ જાય છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન