ભારતીય જનતા પાર્ટી (BJP) ની દિગ્ગજ મહિલા નેતા મુનેશ ગોદારાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મુનેશ ગોદારા ભાજપની ઉભરી રહેલી નેતા હતી અને ભાજપ કિસાન મોરચાની રાજ્ય સચિવ પણ હતી. ગુરૂગ્રામની રહેનાર મુનેશ ગોદારાની હત્યા તેના પતિએ જ કરી છે. એક મળતી જાણકારી મુજબ મુનેશ ગોદારાએ હત્યા ગેરકાયદેસર સંબંધના શકમાં થઇ છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મુનેશ અને તેના પતિ સુનિલ, ચરખી દાદરીમાં રહેતા હતા અને ગુરૂગ્રામના સેકટર-93માં એક ભાડાના મકાનમાં રહેતા હતા. ગત શનિવારના રાતે અંદાજે 9.30 વાગે મુનેશ પોતાની બહેન સાથે વાતચીત કરી રહી હતી. તે સમયે જ તેના પતિ સુનિલને શક ગયો કે તેની પત્ની કોઇ બીજા પુરુષ સાથે વાતચીત કરી રહી છે.
આ શકના કારણે સુનિલે તેની પોતાની સર્વિસ રિવોલ્વર નિકાળી પોતાની પત્નીની છાતી અને પેટમાં બે ગોળી મારી દીધી. આ ઘટના સમયે તેના બાળકો ઘરમાં હાજર હતા. પત્નીની હત્યા બાદ સુનીલ પિસ્તોલ લઇને ઘરેથી ભાગી ગયો.
એક મળતી માહિતી મુજબ આ બંને વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા, કારણ કે સુનિલને શક હતો કે તેની પત્નીનું કોઇ સાથે અનૈતિક સંબંધ છે. સુનીલ ગોદરા એક ખાનગી સુરક્ષા કર્મી તરીકે કામ કરતો હતો. તે અગાઉ તે આર્મીમાં પણ રહી ચૂક્યો હતો, પરંતુ આર્મીમાંથી તેને ગેરશિસ્તના કારણે વીઆરએસ લેવડાવી દેવામાં આવ્યો હતો.