કચ્છ જિલ્લાના મુન્દ્રાની એક કોર્ટ દ્વારા વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહાની સામે ધરપકડ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલ બદનક્ષીના દાવાના એક કેસની સુનાવણી દરમિયાન મુન્દ્રાની કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.
અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરાયો છે કેસ
વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહાની ધરપકડના આદેશ અપાયા
નવી દિલ્હીના નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનને અપાયા નિર્દેશ
જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ પ્રદીપ સોની દ્વારા નવી દિલ્હીના નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનને જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહાને આઇપીસીના સેક્શન 500 અંતર્ગત ધરપકડ કરી અદાલતમાં જાહેર કરવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો.
જૂન 2017ના આર્ટીકલના અનુસંધાને દાખલ કરાયો હતો કેસ
અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં જૂન 2017ના એક આર્ટિકલમાં 500 કરોડ બોનાન્ઝાને લગતા લેખના અનુસંધાને આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે ઠાકુરતાને પૂછતાં તેમણે કહ્યું હતું કે તેમને આ અંગે કોઈ જ જાણ નથી અને આ અંગે તેમના વકીલ સાથે વાત કરવાનું કહ્યું હતું.
આ અંગે એડવોકેટ આનંદ યાજ્ઞિકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમને કોર્ટના અંગેના ઓર્ડરની કોઈ જ જાણકારી નથી અને આ માહિતી (ધરપકડ વોરંટની માહિતી) તેમને મીડિયા થકી જ મળી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ દ્વારા એડિટરની સાથે જ સૌની સામે તેમની ફરિયાદ પરત ખેંચી લેવાઈ હતી જો કે આ આર્ટિકલના લેખકની સામે ફરિયાદ પરત ખેંચાઈ નહોતી.
આર્ટીકલના લેખકને છોડીને બધાની સામે ફરિયાદ પરત ખેંચાઇ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ લેખ માટે મેગેઝીન ( લેખને પ્રકશિત કરનાર મેગેઝીન ) ( ક્રિમિનલ ડિફેમેશન ) માટે જવાબદાર નથી અને આર્ટિકલના સહ લેખકની સામે દાખલ કરાયેલ કેસ પણ પરત ખેંચી લેવાયો છે, પરંતુ આર્ટિકલના લેખક સામે ફરિયાદ પછી ખેંચાઈ નથી, અમે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી છે.
ગત વર્ષે કોરોનાને લીધે કોર્ટની કાર્યવાહી પ્રભાવિત થતા અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી કોર્ટની સમક્ષ સોમવારે આવી હતી અને કોર્ટે આ અંગે યોગ્ય હુકમ કરશે એવું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કેસ 2018 -19થી આગળ વધતો નહોતો પરંતુ, આજે તેના પર કાર્યવાહી થઇ હતી અને અદાણી ગ્રુપ દ્વારા દરેકની સામેની ફરિયાદ પરત ખેંચવામાં આવી હતી.