પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ એકવાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. અફઘાનિસ્તાનમાં થઇ રહેલ ક્રુરતાને ભારત સાથે સરખાવીને લોકોની લાગણી દુભાવી છે.
મુનવ્વર રાણાએ ભાંગરો વાટ્યો
અફઘાનિસ્તાન તાલિબાનીઓનો દેશ
ભારતમાં અફઘાનિસ્તાન કરતા વધારે ક્રુરતા
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી અફઘાનિસ્તાનમાં તાલિબાદ રાજની શરૂઆત થઇ ગઇ છે અને તેને લઇને ભારતમાં પણ લોકો નિવેદન આપી રહ્યાં છે. ફેમસ શાયર મુનવ્વર રાણાએ તાલિબાનને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે.
મુનવ્વર રાણાએ શું કહ્યું
શાયરે કહ્યું કે, હિન્દુસ્તાને તાલિબાનથી ડરવાની જરૂર નથી કારણકે અફઘાનિસ્તાને ક્યારેય હિન્દુસ્તાનને નુકસાન નથી પહોંચાડ્યું. જ્યારે મુલ્લા ઉમરની હુકુમત હતી ત્યારે પણ તેણે કોઇ હિન્દુસ્તાનીને નુકસાન નહોતું પહોંચાડ્યું કારણકે તેના બાપ દાદા હિન્દુસ્તાનથી કમાઇને લઇ ગયા હતા.
મુનવ્વર રાણાએ કહ્યું, જેટલી AK47 તાલિબાનીઓ પાસે નથી તેટલી તો હિન્દુસ્તાનમાં માફીયા પાસે છે. તાલિબાની તો હથિયાર છીનવીને અને માંગીને લાવે છે પરંતુ આપણા ત્યાં તો માફીયા ખરીદે છે.
UPમાં તાલિબાન જેવું કામ
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દેવબંધમાં ATS સેન્ટર ખોલવા પર મુનવ્વર રાણાએ કહ્યું કે, આ સરકાર કંઇ પણ કરી શકે છે પરંતુ વાતાવરણ એક જેવું રહેતું નથી. ધર્માંતરણ જેવા મુદ્દાઓથી દેશ બરબાદ થાય છે પરંતુ અમે ઇચ્છીએ છીએ કે દેશ પહેલા જેવો હતો તેવો થઇ જાય.
ઉત્તર પ્રદેશમાં તાલિબાની
મુનવ્વર રાણાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પણ થોડા તાલિબાની છે. અહી માત્ર મુસલમાન નહી પરંતુ હિન્દુઓ પણ તાલિબાની હોય છે. આતંકવાદી શું મુસલમાન હોય છે? હિન્દુ પણ હોય છે. મહાત્મા ગાંધી સીધા હતા અને નાથૂરામ ગોડસે તાલિબાની હતો. યુપીમાં પણ તાલિબાન જેવું કામ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે મુનવ્વર પહેલા પણ ઘણા મુદ્દાઓ પર વિવાદીત નિવેદનો આપી ચૂક્યા છે. ફરી એકવાર તેમણે તાલિબાન મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે. જે મુદ્દે સોશ્યલ મિડીયા પર ખુબ ચર્ચા થઇ રહી છે.