યૂપી વિધાનસભા ઇલેકશન 2022માં ભાજપાની જીત થવા પર ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા જવાનું એલાન કારવાવાળા મશહૂર શાયર મુનવ્વર રાણાની તબિયત ખરાબ થઇ ગઈ છે.
શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી
ઉત્તર પ્રદેશમાં ફરી યોગી સરકાર નક્કી
હું આ માન્યતા તોડીને રહીશ- યોગી આદિત્યનાથ
શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી
યૂપી વિધાનસભા ઇલેકશન 2022માં ભાજપાની જીત થવા પર ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા જવાનું એલાન કારવાવાળા મશહૂર શાયર મુનવ્વર રાણાની તબિયત ખરાબ થઇ ગઈ છે. યૂપી ઇલેકશનનાં રિઝલ્ટ પહેલા જ મુનવ્વર રાણા બીમાર પડી ગયા હતા. જ્યારે યૂપીમાં ભાજપા સરકાર બનતી જોવા મળી રહી છે તો આવામાં મુનવ્વર રાણાએ પોતાના બયાનને લઈને કંઈપણ બોલવાની ના પાડી દીધી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત ત્રણ દિવસ પહેલાથી ખરાબ છે તથા તેઓ ઘર પર જ પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. ભાજપાની સરકાર બની રહી છે તો આવામાં જોવાનું એ રહેશે કે શું મુનવ્વર રાણા પોતાના વચનને નિભાવશે? તેમણે મીડિયાથી દૂરી બનાવી હતી તથા કંઈપણ બોલવાની પણ નાં પાડી હતી. તેમણે સાર્વજનિક રીતે આ કહ્યું હતું કે જો રાજ્યમાં ફરી ભાજપાની સરકાર બની તો તેઓ ઉત્તરપ્રદેશ છોડી દેશે.
પોપ્યુલર શાયર મુનવ્વર રાણાએ કહ્યું હતું કે પાંચ વર્ષમાં તો આપણે બચી ગયા, પરંતુ આવતા પાંચ વર્ષમાં યોગી આવ્યા તો આપણે જીવતા નહી બચીએ.
ઉત્તર પ્રદેશમાં ફરી યોગી સરકાર નક્કી
યુપીમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીનો જાદુ કામ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે યુપીમાં ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. અત્યાર સુધી 403માંથી 399 સીટો પર આવેલા ટ્રેન્ડ મુજબ ભાજપ 274 સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસનું પ્રદર્શન ફરી એકવાર ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.
હું આ માન્યતા તોડીને રહીશ- યોગી આદિત્યનાથ
એવુ માનવામાં આવે છે કે જે પણ સીએમ નોઇડા આવે છે તેઓનો ખુરશી મળતી નથી એટલે કે સત્તા મળતી નથી. એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં સીએમ યોગી આદિત્યનાથે આ માન્યતાને તોડવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે જે યુપીમાં 1985થી ચાલી આવે છે તેને હું તોડીને જ રહીશ અને ફરીથી કમબેક કરીશ. મહત્વનું છે કે છેલ્લા 37 વર્ષથી ઉત્તર પ્રદેશમાં કોઈ નેતા સતત બે ટર્મ સુધી સીએમ પદ સંભાળી શક્યા નથી.