દિલ્હી પોલીસનાં લાઇસન્સ યૂનિટે મુનવ્વર ફારૂકીની રિક્વેસ્ટ રિજેક્ટ કરી છે અને દિલ્હીમાં તેના 28 ઓગસ્ટનાં રોજનાં શોને કેન્સલ કરવામાં આવ્યો છે.
મુનવ્વર ફારુકીનો દિલ્હીમાં શો કેન્સલ
આ પહેલા બેંગ્લોરનો શો પણ થયો હતો કેન્સલ
કંગનાનાં શો લોક અપમાં વિજેતા હતો મુનવ્વર ફારુકી
મુનવ્વર ફારુકીનો દિલ્હીમાં શો કેન્સલ
દિલ્હી પોલીસનાં લાઇસન્સ યૂનિટે મુનવ્વર ફારૂકીની રિક્વેસ્ટ રિજેક્ટ કરી છે. કોમેડિયાને દિલ્હીમાં પરફોર્મ કરવા માટે પરમીશન માંગી હતી. તેમનો શો 28 ઓગસ્ટ 2022નાં રોજ દિલ્હીનાં સિવિક સેન્ટરમાં થવાનો હતો. આ પહેલા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ યૂનિટને રિપોર્ટ આપતા કહ્યું કે મુનવ્વરનાં શોથી 'વિસ્તારના સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પડશે.'
Licensing unit of Delhi police rejects permission to stand-up comedian Munawar Faruqui to perform his show scheduled for August 28th in Delhi
This comes after the central district police wrote a report to the unit stating that "the show will affect communal harmony in the area." pic.twitter.com/tMPvvb6C2T
વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી પોલીસને લેટર લખીને મુનવ્વરનાં શોને કેન્સલ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આ શો થયો, ટો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં સદસ્યો આ શોને લઈને વિરોધ પ્રદર્શન કરશે. આ લેટર વિશ્વ હિન્દુ પરિષદનાં દિલ્હી પ્રેસિડન્ટ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ દિલ્હી પોલીસ કમીશ્નરને લખ્યો હતો.
આ લેટરમાં લખ્યું હેટ કે મુનવ્વર ફારુકી નામનાં એક કલાકાર દિલ્હીનાં સિવિક સેન્ટરમાં કેદારનાથ સ્ટેડિયમમાં 28 ઓગસ્ટનાં રોજ એક શો આયોજિત કરશે. આ વ્યક્તિ પોતાના શોમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક બનાવે છે, જેને કારણે અભિ હાલમાં ભાગ્ય નગરમાં સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો હતો. મારી તમને વિનતિ છે કે આ શો તરત જ રદ્દ કરી દો નહીંતર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તાઓ શોનો વિરોધ કરશે અને પ્રદર્શન પણ કરશે.
પહેલા પણ કેન્સલ થયો હતો શો
2021માં મુનવ્વર ફારુકીને પોતાના શોમાં એક મજાકને કારણે અરેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે મહિનો જેલમાં વિતાવ્યો હતો. ત્યારથી જ કોમેડિયનનાં શો કાનૂન અને પ્રશાસન માટે પડકાર બની ગયા છે. ગયા અઠવાડિયે મુનવ્વરનો બેંગલોરઆ શો થવાનો હતો, જે પણ કેન્સલ થયો હતો. જોકે, કમેડિયાને કહ્યું હતું કે આ તેમની હેલ્થ પ્રોબ્લેમને કારણે કેન્સલ થયો છે. પણ બેંગલોરનો શો કેન્સલ થવાના જ દિવસે હૈદરાબાદમાં પણ ભારે સિક્યોરીટી વચ્ચે તેમને પરફોર્મ કરતાં જોવામાં આવ્યા હતા.
20 ઓગસ્ટનાં રોજ હૈદરાબાદમાં મુનવ્વરનો શો થયો હતો. આ પહેલા તેલંગાણા બીજેપી લીડર ટી રાજાએ ધમકી આપતા કહ્યું હતું કે જો મુનવ્વરને હૈદરાબાદમાં શો કરવાની પરમીશન મળે છે, તો તેઓ વન્યૂ સળગાવી દેશે.
કંગનાનાં શો લોક અપમાં વિજેતા હતો મુનવ્વર ફારુકી
જણાવી દઈએ કે મુનવ્વર ફારુકીને કંગના રનૌતનાં રિયાલિટી શોમાં પણ જોવામાં આવ્યો હતો. આ શોમાં મુનવ્વર ઘણા સેલિબ્રિટીને પાછળ છોડીને જીત્યો હતો. જોકે, તેનાથી તેની કોમેડી કરિયરને ખાસ ફાયદો થયો નહીં.