ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી ટીમ SITએ કરેલા દાવાથી ખળભળાટ મચ્યો છે, જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ તો આ દાવાનું ખંડન કર્યું જ છે, હવે દિવંગત નેતા અહેમદ પટેલની દિકરીનું પણ આ મામલે રિએક્શન આવ્યું છે.
ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી ટીમ SITએ કરેલા દાવાથી ખળભળાટ મચ્યો
SITના દાવામાં દિવંગત અહેમદ પટેલનું નામ પણ સામે આવ્યું
આ દાવા બાદ દિવંગત અહેમદ પટેલની દિકરીએ પ્રહારો કર્યા હતા
કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના એ આરોપોનું ખંડન કર્યું છે. જેમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, રાજકીય કાર્યકર્તા તીસ્તા સીતલવાડ, રિટાયર્ડ ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે દિવંગત અહેમદ પટેલના ઈશારા પર ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. આરોપ તે સમયના છે, જ્યારે અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, આરોપ મેન્યુફેક્ચર્ડ છે. તેમણે કહ્યું કે, તે 2002માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરવામાં આવેલા સાંપ્રદાયિક રનસંહાર તરીકે ખુદને જવાબદારમાંથી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રીની વ્યવસ્થિત રણનીતિનો ભાગ છે.
આ નરસંહારને કંટ્રોલ કરવાની તેમની અનિચ્છા અને અક્ષમતાના કારણે તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહાર વાજપેયીએ મુખ્યમંત્રીને તેમના રાજધર્મની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની રાજકીય પ્રતિશોધના મશીન સ્પષ્ટ રીતે તે દિવંગત લોકોને પણ નથી છોડતી, જે તેમના રાજકીય વિરોધી હતા. આ એસઆઈટી પોતાના રાજકીય આકાઓની ધુન પર નાચી રહી છે અને જ્યાં કહેશે ત્યાં બેસશે. અમે જાણીએ છીએ કે, કેવી રીતે એક પૂર્વ એસઆઈટી પ્રમુખને મુખ્યમંત્રીને ક્લિન ચીટ આપવા માટે રાજકીય કાર્ય સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
.@mumtazpatels, अहमद पटेल की बेटी --
2012 के चुनाव में अहमद मियां पटेल कह मेरे पिता को सीएम उम्मीदवार बताया,17 में अस्पताल में एक आतंकी का मुद्दा उछाला, चुनाव बाद वो कहाँ गया? अब 22 गुजरात चुनाव है तो फिर बेवजह सियासत में मेरे दिवंगत पिता का नाम उछाल रहे हैं,2027 में भी उछालेंगे।
— Kumar Vikrant Singh (@KumarVikrantS) July 16, 2022
કારણ વગર ઉછાળવામાં આવ્યું પિતાનું નામ- મુમતાઝ અહેમદ પટેલ
આ મામલામાં અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલે જણાવ્યું છે કે, 2012ની ચૂંટણીમાં અહેમદ મિયાં પટેલ કહીને મારા પિતાને સીએમ ઉમેદવાર ગણાવી રહ્યા હતા. 2017માં હોસ્પિટલમાં એક આતંકી મુદ્દો ઉછાળ્યો, ચૂંટણી બાદ તે ક્યાં ગયા ? હવે 2022 ગુજરાત ચૂંટણી છે, તો હવે ફરીથી કારણ વગર રાજકારણમાં મારા દિવંગત પિતાનું નામ ઉછાળવામાં આવી રહ્યું છે. કદાચ તેમનું નામ 2027માં પણ ઉછાળશે.
અહેમદ પટેલના ઈશારા પર સીતલવાડને મળી 25 લાખથી વધારેની રકમ- એસઆઈટીનો દાવો
2002ના દંગા મામલામાં અમદાવાદમાં 25 જૂનના રોજ નોંધાયેલ ફરિયાદના સંબંધમાં સીતલવાડ, શ્રીકુમાર સંજીવ ભટ્ટ વિરુદ્ધ તપાસ થઈ રહી છે. અમદાવાદમાં નોંધાયેલ કેસમાં સીતલવાડ, ભટ્ટ અને શ્રીકુમાર પર રમખામોથી સંબંધિત પુરાવા, ષડયંત્ર અને અન્ય આરોપ લગાવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે દાખલ એફિડેવિટમાં કહેવાયુ છે કે, ચાલી રહેલી તપાસ દરમિયાન બે સાક્ષીના નિવેદન, આ સ્થાપિત કરે છએ કે, ષડયંત્રને વર્તમાન અરજીકર્તા (સીતલવાડ)એ અન્ય આરોપી શખ્સ સાથે સાથે તત્કાલિન રાજ્યસભા સાંસદ સ્વર્ગીય અહેમદ પટેના ઈશારા પર પાર પાડ્યું હતુ, જે કોંગ્રેસના અધ્યક્ષના રાજકીય સલાહકાર હતા.