દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનની લહેર ધીમી પડી હોવાનું લાગી રહ્યું છે.
મુંબઈમાં ઘાતક ઓમિક્રોનની લહેર ધીમી પડી
છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 11647 કેસ
સતત ચોથા દિવસે કેસમાં થવા લાગ્યો ઘટાડો
કોરોના લહેર ધીમી પડી હોવાનો સંકેત
મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 11647 કોવિડ કેસ આવ્યાં છે અને 2 લોકોના મોત થયા છે. મુંબઈમાં પોઝિટીવિટી રેટ પણ ઘટીને 19 ટકા થઈ ગયો છે આ પહેલા 23 ટકા હતો.
COVID19 | Mumbai reports 11,647 fresh cases & 2 deaths today; Active cases at 1,00,523 pic.twitter.com/tKe8cvHzsu
મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો
દેશમાં ત્રીજી લહેરની વચ્ચે પહેલી વાર મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે. આ પહેલાના ત્રણ દિવસમાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આવ્યો હતો. જે શુભ સંકેત છે.
શું મુંબઈમાં લાગશે લોકડાઉન
મુંબઈમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લોકડાઉન લગાડવાનો વિચાર કરી રહી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે મુખ્યમંત્રીનું એવું માનવું છે કે કોઈ પણ લોકડાઉન ન લગાડવું જોઈએ પરંતુ લોકો હજુ પણ કોરોન અને માસ્ક અંગે ગંભીર નથી. લોકોએ કોરોનાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા મેયરે કહ્યું હતું કે મુંબઈમાં રોજના 20,000થી વધારે કેસ આવશે તો લોકડાઉન લગાડવામાં આવશે.
દેશમાં કોરોનાના નવા 1.68 લાખ કેસ
દેશમાં કોરોના કેસ રોજ 1.5 લાખ કરતાં પણ વધારે નોંધાઈ રહ્યા છે ત્યારે આજે ફરી 1.68 લાખ નવા કેસ નોંધાયા હતા પણ મૃત્યુઅંક ગઈકાલ કરતાં લગભગ બમણો થઈ ગયો હતો. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થતી જાય છે. અને કેસ વધવાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. જો કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.