મુંબઇના સિવરી કોલીવાડા ક્ષેત્રના રહેવાસી રાજુ સોલંકીનું બુધવાર 15 મેના રોજ સાપ કરડવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે રાજુ સાપને પકડીને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમિયાન સાપે તેને ડંખ માર્યો અને ત્યારબાદ રાજુ સોલંકીને પરેલ સ્થિત કેઇએમ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કેઇએમ હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખે આ મામેલ જણાવ્યું કે, યુવક અહીં ઘણો મોડો પહોંચ્યો. યુવકને હોસ્પિટલ લગભગ બપોરના 1 વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યો હતો. જો કે, સવારે 10:30 આપપાસ તેને સાપ કરડ્યો હતો. દવાખાને પહોંચતાની સાથે જ હાજર ડોક્ટરોએ તેને એન્ટી વેનમ દવાઓ સાથે પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.
રાજુ સોલંકીની મોતે સાપ પકડવાનું કામ કરનારની ટ્રેનિંગ અને સુરક્ષા સંબંધિત જાણકારીના મુદ્દે ફરી એકવાર લોકોની વચ્ચે ઉભો થયો છે. વાઇલ્ડલાઇફ વોર્ડન સુનીશ સુબ્રમણ્યમનું કહેવું છે કે, મેં આ મામલા અંગેની લેખિત સુચનાઓ રાજ્યના કેટલાક વન્ય અધિકારીઓને મોકલી આપી છે. આવી ઘટનાઓથી જ ખબર પડે છે કે, કોબ્રાને પકડતી વખતે શું સંભાળ રાખવી જોઇએ.