મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ચાલી રહેલ સંકટની સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અપીલ કરવામાં આવી છે કે આ સંબંધમાં કઇ કરો. સર્વદળીય બેઠક બાદ જ્યારે પીએમ મોદી અને અમિત શાહ નિકળી રહ્યા હતા ત્યારે આઠવલેએ તેમને કહ્યું કે મહારાષ્ટ્રને લઇને કંઇક કરવું જોઇએ. અહીં ભાજપ અને શિવસેનાની સરકાર બનવી જોઇએ. બની શકે તો શિવસેનાને એકાદ વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપી દેવું જોઇએ.
રામદાસ અઠાવલેનો દાવો, ભાજપ-શિવસેના જ સરકાર બનાવશે
મેં અમિતભાઈને કહ્યું, તમે મધ્યસ્થી કરો તો રસ્તો નિકળે:અઠાવલે
અમિતભાઈએ મને કહ્યું ચિંતા ન કરો, બધું સારુ થઈ જશે: અઠાવલે
રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની જ સરકાર બનશે તેવો દાવો કર્યો છે. રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે મેં અમિતભાઇને કહ્યું કે તમે મધ્યસ્થી કરો તો કોઇ રસ્તો નીકળશે. ત્યારે અમિત શાહે કહ્યું કે આપણે સરકાર બનાવી શકીએ છીએ, તને ચિંતા ન કરો બધું સારું થઇ જશે.
ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, NCP-કોંગ્રેસના સરકાર રચવાના દાવા વચ્ચે નવી વાત સામે આવી છે. હજુ પણ ભાજપ સરકાર બનાવશે તેવો રાજ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Union Minister Ramdas Athawale: I told Amit bhai (BJP President Amit Shah) that if he mediates then a way can be found out to which he (Amit Shah) replied "don't worry, everything will be fine. BJP & Shiv Sena will come together to form government". #Maharashtrapic.twitter.com/JMIPnQJsuM
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં સુધી કે કોઇ પાર્ટીને સરકાર ન બનાવી શકવાથી ઝટકો લાગ્યો અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું.
શિવસેના સત્તામાં બરાબરની ભાગીદારી ઇચ્છતી હતી, એટલા માટે તેઓ અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગ માટે અડગ છે. શિવસનાની માંગ પર ભાજપના તૈયાર ન થવા પર હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવવાને લઇને તૈયાર થઇ ગઇ છે. પરંતુ હવે ભાજપ અને તેમના સાથી દળોએ રાજ્યમાં સરકાર બનાવવાની આશા નથી છોડી.