મુંબઇમાં દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી ગઇ છે. ત્યારે શહેરમાં ફરી એક વાર ઘાટકોપર વિસ્તારમાં હત્યા કરાઇ હોવાની એક ઘટના સામે આવી છે. ઘાટકોપરમાં એક શખ્સની ધોળે દહાડે હત્યા કરાઇ. આ મામલામાં બે આરોપીઓની ધરપકડ.
મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાનીનાં ઉપનગરીય ક્ષેત્ર ઘાટકોપરમાં ધોળા દિવસે એક ભયાનક ઘટના ઘટી ગઇ. અહીં ત્રણ અજ્ઞાત લોકોએ 40 વર્ષનાં એક શખ્સની ચાકુ ઘુસાડીને હત્યા કરી દીધી. પોલીસે સોમવારનાં રોજ આ અંગે વિશેષ જાણકારી આપી. પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. ત્રીજાની તપાસમાં ટીમો લગાવી દેવાઇ છે. આ હત્યા પાછળનું કારણ કોઇ અંગત દુશ્મની માનવામાં આવી રહેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના ઘાટકોપરમાં જાગૃતિ નગર મેટ્રો રેલ્વે સ્ટેશનની નજીક બપોરનાં 11:30 મીનિટ પર થઇ ગઇ. તેઓએ જણાવ્યું કે, બબલૂ દુબે ઉર્ફે છોટીને ત્રણ અજાણ્યાં શખ્સોએ ચાકુ ઘુસાડીને મારી નાખ્યો અને ઘટનાસ્થળ પર જ તે ફરાર થઇ ગયા. બાદમાં તેને નજીકનાં સ્થિત નગર ખાનગી હોસ્પિટલનમાં લઇ જવામાં આવ્યાં કે જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યાં.
રાજનીતિક દુશ્મનની શંકાઃ
અધિકારીઓએ જણાવ્યું કે, ઘાટકોપર સ્ટેશનમાં હત્યાનો મામલો દાખલ કરી લીધો છે. પહેલી નજરમાં તો એવું લાગે છે કે આ હત્યા વ્યક્તિગત દુશ્મનીને ધ્યાને રાખતા થઇ. પોલીસે આ હત્યાકાંડની શરૂઆતમાં અનેક એંગલથી તપાસ કરી છે. આમાંથી એક રાજનીતિક પણ હતું. સૂત્રોનું કહેવું એમ છે કે બબલુએ કોર્ટમાં કોઇ પૂર્વ પાર્ષદ વિરૂદ્ધ સંપત્તિનાં મામલામાં પીઆઇએલ દાખલ કરી હતી. આ પૂર્વે પાર્ષદનાં પત્ની હાલમાં પાર્ષદ છે. બબલુનાં પિતાએ પૂર્વ પાર્ષદ વિરૂદ્ધ પોલીસથી નિષ્પક્ષ તપાસનો અનુરોધ કર્યો છે.