મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને માટુંગા રેલવે સ્ટેશનની વચ્ચે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ પાટા પર કબ્જો જમાવી લીધો છે. આ વિદ્યાર્થીઓ રેલવેમાં નોકરીની માંગણી કરી રહ્યા છે. રેલવે પાટા પર વિદ્યાર્થીઓ બેસતા ટ્રેનોની અવરજવર પર અડચણ ઉભી થઇ રહી છે અને સામાન્ય જનજીવન પર અસર થઇ રહી છે.
કહેવામાં આવી રહ્યુ છે કે સેંકડોની સંખ્યામાં આ વિદ્યાર્થીઓ રેલવેની સરકારી નોકરી માટે આંદોલન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને રેલવે પાટા પરથી હટાવા માટે પોલીસ સ્થળ પર પહોંચી રહી છે. તમને જણાવી દઇએ કે ઓફિસ ટાઇમ હોવાથી અને CST-માટુંગાની લાઇન પર ખૂબ ટ્રાફિક થતાં લોકોની મુશ્કેલી પડી રહી છે. લોકલ ટ્રેનો સિવાય લાંબા અંતરની ટ્રેનો પણ પ્રદર્શનના લીધે મોડી ચાલી રહી છે અને 30 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી.
આવી સ્થિતિમાં પોલીસ સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને ઝડપથી માનવીને ત્યાંથી હટાવા માંગશે. આપને જણાવી દઇએ કે વિદ્યાર્થીઓની માંગણી છે કે તેમને રેલવેમાં સરકારી નોકરી આપવામાં આવે.
કહેવાય છે કે આ અપ્રેંટિસ સ્ટુડન્ટ વર્ષો સુધી કામ કરી ચૂકયા છે પરંતુ તેમને નોકરી મળી રહી નથી. રિપોર્ટ્સના મતે વિદ્યાર્થીઓને કંટ્રોલમાં લેવા માટે મુંબઇ પોલીસે લાઠીચાર્જ કર્યો તો વિદ્યાર્થીઓને તેના જવાબમાં ટ્રેનો પર પત્થર ફેંકયા.
શું છે માંગણી:
વિરોદ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં રેલવેમાં અપ્રેંટિસની પરીક્ષી આપવાના છે. પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ વિદ્યાર્થી પરીક્ષામાં 20% અપર લિમિટને હટાવાની માંગણી કરી રહ્યા છે. તેમની માંગ છે કે તેમાં માત્ર એ વિદ્યાર્થીઓ દાખલ થાય જે ટેસ્ટ પાસ કરે.
પેસેન્જર્સને રેલવેની સલાહ:
સેન્ટ્રલ રેલવે એ હેલ્પલાઇન નંબર – 23061763 રજૂ કર્યો છે સાથો સાથ રેલવે એ પેસેન્જર્સને સલાહ આપી છે કે તેઓ વેસ્ટર્ન લાઇન કે હાર્બર લાઇનનો ઉપયોગ કરે. કહેવાય છે કે સીએસટી અને ખોપોલીની વચ્ચે ટ્રેન સંચાલન સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયું છે. ટ્રેનો માત્ર કુર્લા સુધી જ જઇ રહી છે.