હવે મુંબઈથી સાંઈધામ શિરડી માત્ર 5.30 કલાકમાં પહોંચી શકાશે. પ્રધાનમંત્રી મોદીએ મુંબઈમાં આજે 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી દેખાડી છે.
મુંબઈને એકસાથે 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ
મુંબઈ- શિરડી માત્ર 5.30 કલાકમાં
PM મોદીએ દર્શાવી લીલીઝંડી
પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે ભારત ટ્રેન આજનાં આધુનિક થતાં ભારતની શાનદાર તસવીર છે. આ ભારતની સ્પીડ અને સ્કેલ બંનેનું પ્રતિબિંબ છે. અત્યારસુધી 10 એવી ટ્રેનો શરૂ થઈ ચૂકી છે અને 17 રાજ્યોનાં 108 જિલ્લાઓ વંદે ભારત એક્સપ્રેસથી કનેક્ટ થઈ ગયાં છે.
વંદે ભારત મુંબઈથી સાંઈ ધામ શિરડી ચાલશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈને એકસાથે 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપી છે. આ ટ્રેનો તીર્થયાત્રિયો માટે વરદાયી સાબિત થશે કારણકે વંદે ભારત મુંબઈથી સાંઈ ધામ શિરડી ચાલશે. બીજી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી સોલાપુરની વચ્ચે ચાલવાની છે. PM મોદીએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનાં પ્લેટફોર્મ નંબર-18થી બંને હાઈસ્પીડ ટ્રેનોને લીલીઝંડી દેખાડી છે.
5.30 કલાકમાં પહોંચાડશે મુંબઈથી શિરડી
વંદે ભારત એક્સપ્રેસથી CSMTથી સાંઈનગર શિરડીની 340 કિ.મી લાંબી દૂરીને લગભગ 5.30 કલાકમાં પૂરી કરવામાં આવશે. આ દરમિયાન ટ્રેન દાદર, થાણે, કસારા, નાશિક રોડ અને સાઈ નગરની વચ્ચે રોકાશે. CSMTથી સોલાપુરની દૂરી 6.30 કલાકમાં પૂરી કરવામાં આવશે. આ દરમિયાન ટ્રેન દાદર, કલ્યાણ, કર્જત, લોનાવલા અને પુણેની વચ્ચે રોકાશે.
મુંબઈ-શિરડી માટે વંદે ભારતનો આ છે રૂટ
મુંબઈથી શિરડી માટે 10મી વંદે ભારત ટ્રેન થઈ છે. આ મહારાષ્ટ્રનાં મહત્વપૂર્ણ તીર્થસ્થળો જેવા નાશિક, ત્ર્યંબકેશ્વર, સાઈનગરથી શનિ સિંગણાપુર જવા માટે વધારે સુવિધા ફાળવશે. આ બંને વંદે ભારત ટ્રેનોની ખાસિયત એ છે કે બંને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પાર્કિંગ બ્રેક લગાવવામાં આવ્યાં છે જે ટ્રેનને ઢાળ સ્થિર રાખશે.
શિરડી વંદે ભારત ટ્રેનનાં Timings:
CSMT-શિરડી વંદે ભારત CSMTથી સવારે 6.15 વાગ્યે રવાના થશે અને બપોરે 12.10એ સાંઈનગર શિરડી પહોંચાડશે. જ્યારે શિરડીથી પાછી આવનારી ટ્રેન શિરડીથી 5.25 વાગ્યે નિકળશે અને રાત્રે 11.28 વાગ્યે CSMT પહોંચાડશે.
મુંબઈ અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટી
આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'આજનો દિવસ ભારતીય રેલ્વે અને વિશેષ રૂપે મુંબઈ અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટી માટે ઘણો મોટો છે. આજે એકસાથે 2 વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. તેનાથી સૌને સુવિધા મળશે અને આ મહારાષ્ટ્રમાં પર્યટન અને તીર્થ યાત્રાને પ્રોત્સાહન આપનારી છે.' તેમણે કહ્યું કે, 'વંદે ભારત ટ્રેન ભારતની સ્પીડ અને સ્કેલ બંનેનું પ્રતિબિંબ છે. અત્યારસુધી 10 એવી ટ્રેનો શરૂ થઈ ચૂકી છે અને 17 રાજ્યોનાં 108 જિલ્લાઓ વંદે ભારત એક્સપ્રેસથી કનેક્ટ થઈ ગયાં છે.
PMએ બાળકો સાથે વાતચીત કરી
PM મોદીની સાથે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતાં. વંદે ભારત ટ્રેનોની શરૂઆત બાદ વડાપ્રધાન મોદી ટ્રેનમાં મફત સફર કરી રહેલા બાળકોથી પણ મળ્યાં અને વાતચીત પણ કરી હતી.