મુંબઇમાં શનિવારે રાત્રે એક ફાર્મા કંપનીમાં ગેસ લિકેજ થયાની ઘટના બાદ હાહાકાર મચ્યો હતો. ગેસ લિક થવાની ફરિયાદોને ગંભીરતાથી લઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે, મુંબઈના ફાયર વિભાગે દાવો કર્યો છે કે ગેસ લિકેજની માહિતીમાં કોઈ સત્ય નથી.બીએમસીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગેસ લિકેજની કેટલીક ફરિયાદો ચેમ્બુર, ઘાટકોપર, કંજુરમાર્ગ, વિક્રોલી અને પવાઈના રહીશો પાસેથી મળી છે. ફાયર બ્રિગેડને સંબંધિત વિસ્તારોમાં તપાસ માટે મોકલવામાં આવી છે.
મુંબઈમાં ગેસ લીકેજની વાતથી મચ્યો હાહાકાર
બીએમસીએ અપીલ કરી કે લોકો ગભરાય નહીં
જો શ્વાસ લેવામાં તકલીફ લાગે તો ભીના કપડાંથી નાક ઢાંકો
મુંબઈના અનેક વિસ્તારોમાંથી ગેસ લિક થવાની ફરિયાદો મળ્યા બાદ બીએમસીએ તાત્કાલિક એલર્ટ કરી ફાયર બ્રિગેડના અધિકારીઓને અને અન્ય સંબંધિત એજન્સીઓને સ્થળ પર તપાસ માટે મોકલી દીધા હતા. તપાસ દરમિયાન ફાર્મા કંપનીમાંથી ગેસ લિકેજ થવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ તપાસમાં લાગી ગયા છે.
No gas leakage was found at given locations. Further calls were received from Powai & leakage smell was felt in Andheri. Total 17 fire engines were deputed for the search of gas leakage & it was announced to not panic. Hazmat vehicles were ready for emergency: Mumbai Fire Brigade https://t.co/qHsZbe7ns9
જોકે, બીએમસીએ ટ્વીટ કર્યું છે કે તે દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. અગાઉ, બીએમસીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ચેમ્બુર, ઘાટકોપર, કંજુરમાર્ગ, વિક્રોલી અને પવાઈના રહેવાસીઓ તરફથી ગેસ લિકેજ થવાની કેટલીક ફરિયાદો આવી છે. જે માટે ફાયર બ્રિગેડને સંબંધિત વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. બીએમસીએ જણાવ્યું હતું કે ફરિયાદોને ગંભીરતાથી લઈને તમામ સંબંધિત એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વીટ કર્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તમામ શક્ય અને જરૂરી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને ભયભીત ન થવાની અપીલ કરતા બારી અને દરવાજા લોક કરવાની સલાહ પણ આપી.