મુંબઈમાં ઓમિક્રોનના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે 1થી 9 અને 11 મા ધોરણની સ્કુલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ
ધોરણ 1થી9 અને 11ની સ્કૂલ બંધ રહેશે
ધોરણ 10 અને 12ની સ્કૂલ ચાલુ રહેશે
ઓમિક્રોનના કેસ વધતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે હેતુસર બીએમસીએ એક મોટો નિર્ણય લીધો છે.
31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ
વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા અધિકારીઓ સંમત થયા હતા જે પછી 1થી 9 અને 11મા ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Maharashtra | Mumbai schools for classes 1 to 9 to be closed till 31st January, in view of rising COVID19 cases. School for classes 10 & 12 to continue: Brihanmumbai Municipal Corporation (BMc)
ફક્ત 10 અને 12ની સ્કૂલ ચાલુ રહેશે
રાજ્ય સરકારે ફક્ત ધોરણ 10 અને 12ની સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે કારણ આગામી થોડા સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તેને લઈને ફક્ત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માતાપિતાની સંમતિ સાથે સ્કૂલે આવવાની પરમિશન અપાઈ છે.
મુંબઈમાં18 વર્ષ સુધીના બાળકોનું વેક્સિનેશન શરુ થયું
કોરોનાના વધતા ચેપ વચ્ચે આજથી મુંબઈમાં18 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. મુંબઈના ૯ રસીકરણ કેન્દ્રો પર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં મુંબઈ મ્યુનિસિપલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને રસીકરણ માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રસીકરણ માટે વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે ફરી એકવાર લોકડાઉનના સંકેત આપી દીધા છે. તેમણે શાળા અંગે નિર્ણય લેવાની પણ વાત કરી હતી. જે બાદ આજે ૧થી ૮ ધોરણ સુધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.