મુંબઇ: સામનામાં ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં તંત્રી લેખમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. જેમાં 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં પીએમ મોદીએ કયા કયા આશ્વાસન આપ્યા હતા. આસમાનથી ચાંદ-તારા લાવીને લોકોને આપવાના હતા.
આ સાથે જ તેમાં વધુ લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કશ્મીર ભારતના નકશા પર લાવવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિદેશથી કાળું નાણુ પરત લાવીશું. એટલું જ નહીં દરેક નાગરિકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું એવું પણ વચન આપ્યું હતું.
PM મોદીએ મોંઘવારીને ઓછી કરવા લોકોને સારા દિવસો લાવવાનું વચન આપ્યું હતું. જ્યારે આ સવાલો પૂછવામાં આવે છે તો મોદી સમર્થક સવાલ પૂછનારાઓને જ દેશદ્રોહી કહીને મુક્ત થઈ જાય છે.
મોદી સરકારે 4 વર્ષમાં એક પણ વચન પૂર્ણ નથી કર્યા. મહત્વનું છે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. તેવા સમયે શિવસેના સામનામાં ભાજપ સરકારને આડે હાથ લઈ રહી છે.