મુંબઈના કાંદિવલી વિસ્તારમાં શિવસેના નેતા સચિન સાવંતની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગઈ કાલે કાંદિવલીના અકુરલી રોડ પર આવેલ ગોકુલ નગરના સાઈ મંદિર સામે ઘટી હતી.
જ્યાં બાઈક સવાર 2 શખ્સ આવ્યા હતા અને શિવસેના નેતા સચિન સાવંત પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાવંતને સારવાર અર્થે શતાબ્દી હોસ્પિટલમાં ખસેડાયા આવતા હતા.
જોકે હોસ્પિટલમાંતબીબોએ સાવંતને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શિવસેના નેતાની હત્યા શા માટે કરાઈ તે મામલે તાપસ જારી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2009માં પણ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.