દેશની આર્થિક રાજધાની મુંબઇમાં હવે સાતેય દિવસ અને 24 કલક મોલ, મલ્ટીપ્લેક્સ અને હોટલ ખુલ્લા રહેશે. મુંબઇ મહાનગરપાલિકા BMC એ મોલ અને હોટલને 24 કલાક અને સાતેય દિવસ ખુલ્લા રાખવાની મંજૂરી આપી દીધી છે.
રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મુંબઇમાં થિયેટર, મૉલ અને હોટલ 26 જાન્યુઆરીથી 24 કલાક ખુલ્લા રહેશે. બિન રહેણાંક વિસ્તાર જેવા કે પરિનમ પોઇન્ટ, બીકેસી અને કાલા ઘોડા જેવા પ્રતિષ્ઠાનમાં અઠવાડિયામાં બધા 7 દિવસ માટે 24x7 ખુલ્લા રહેશે.
હાલમાં મુંબઇમાં નાઇટ લાઇફ પ્રાયોગિક સ્તર પર શરૂ કરવામાં આવશે. આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ કારણે કોઇ સમસ્ય ઉભી નહી થાય. જે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે, તે ઇચ્છે છે કે મુંબઇ પાછળ પડી જાય? આ બધાથી રોજગારીની નવી તકો પણ ઉભી થશે.
BMC અને મુંબઇ પોલીસ તરફથી 20થી વધારે એવી પ્રતિષ્ઠિત જગ્યાઓની મંજૂરી આપવામાં આવે છે અને હવે મૉલ અને મલ્ટીપ્લેક્સ 24 કલાક ખુલ્લા રહેશે.
રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે BMC કમિશ્નર અને મુંબઇ પોલીસ કમિશ્નર સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મૉલ, મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરાંના અન્ય પ્રતિનિધિ પણ હાજર રહ્યાં હતા.