ભારતમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાનું અનુમાન છે અને મુંબઈ દેશની ચિંતા વધારી રહ્યું છે.
ભારતમાં કોરોનાની ચોથી લહેરની આશંકા
મુંબઈમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ
એક દિવસમાં 1242 નવા કેસ
છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ મોત નહીં
કોરોના મામલે મુંબઈ દેશની ચિંતા વધારી રહ્યું છે. મુંબઈમાં ગત ચોવીસ કલાકમાં કોરોનાના 1242 નવા કેસ નોંધાયા છે જોકે રાહતની વાત એ છે કે એકનું દર્દીનું મોત થયું નથી.
#COVID19 | Mumbai reports 1,242 new cases, 506 recoveries, & zero deaths, in the last 24 hours.
અમદાવાદમાં કોરોનાએ રફતાર પકડી
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ રફતાર પકડતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ હાલમાં અમદાવાદ શહેરમાં 2017 કોરોના કેસ એક્ટિવ છે. તો વળી કોરોનાના 3 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે ફરી એકવાર કોરોનાને ફેલાતો રોકવા માટે તંત્ર મક્કમ બન્યું હોય તેમ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવશે.
મુંબઈમાં વધી રહ્યાં છે કોરોના કેસ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે અને તેને કારણે દેશમાં ચોથી લહેર શરુ થઈ હોવાની શક્યતા છે.
ચોથી લહેરના ભણકારા ?
ગુજરાતમાં 7 મેના દિવસે 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. ત્રીજી લહેરના સૌથી વધુ કેસ 17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.