દેશમાં કોરોનાના આગમન બાદ પહેલી વાર મુંબઈમાં એક નવાઈકારક ઘટના બની છે જે ખૂબ મોટો શુભ સંકેત છે.
દેશમાં કોરોનાના આગમન બાદ પહેલી વાર મુંબઈમાં બની નવાઈકારક ઘટના
રવિવારે કોરોનાથી એક પણ મોત નહી
દેશની આર્થિક રાજધાનીમાં કોરોના ગયો
ભારતમાં હવે કોરોનાના વળતા પાણી થવા લાગ્યા છે. એક પછી એક મહાનગરમાં કોરોનાનો કેર ઓછો થવા લાગ્યા છે. મુંબઈ જેવા દેશના મહાનગરમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત ન થવું મોટી ઘટના છે. મહામારી બાદ પહેલી વાર રવિવારે મુંબઈમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. સામાન્ય રીતે તો મુંબઈમાં દરરોજના 150-200 લોકોના મોત થયા હતા પરંતુ પહેલી વાર રવિવારે કોરો ગયો જે ખૂબ મોટો શુભ સંકેત છે. મહામારી ચરમસીમાએ હતી ત્યારે મુંબઈમાં રોજના 11,000 ની આસપાસ કેસો આવતા હતા અને 300 થી 400 લોકોના મોત થયા હતા. પરંતુ રવિવારે બનેલી ઘટનાએ ઘણા રાહતના સમાચાર આપ્યાં છે.
રવિવારે મુંબઈમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નહીં
મુંબઈ નગર પાલિકાએ આપેલી માહિતી અનુસાર રવિવારે મુંબઈમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જ્યારે રાજ્યમાં કોરોનાના નવા 1553 કેસ નોંધાયા છે અને 26 મોત થયા છે.
શનિવારે મુંબઈ શહેરમાં 319 નવા કોવિડ-19 કેસ નોંધાયા
દરમિયાન શનિવારે મુંબઈ શહેરમાં 319 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા, જ્યારે ત્રણ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડાઓને પગલે શહેરમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 7,51,293 સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 16,180 સુધી પહોંચી ગયો છે. દરમિયાન, વિભાગે જણાવ્યું હતું કે મુંબઈ વિભાગમાં 582 કેસ અને પાંચ મૃત્યુ થયા છે, જેના કારણે આ વિસ્તારમાં ચેપની સંખ્યા વધીને 16,91,183 થઈ છે અને મૃત્યુઆંક 35,395 થયો છે.