મુંબઈમાં એક મહિના બાદ કોરોનાના ફક્ત 2624 કેસો નોંધાતા તંત્રએ હાશકારો લીધો છે.
મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 2624 કેસો
એક મહિના પહેલા મુંબઈમાં 11,000 કેસો હતા
મૃત્યુદરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે
બીએમસી અધિકારીઓએ જણાવ્યું
મુંબઈમાં ખરાબ સમય પુરો થયો
હજુ એક મહિના પહેલા મુંબઈમાં 11,000 ની ઉપર કોરોનાના કેસો નોંધાતા હતા પરંતુ એક મહિનામાં કેસોમાં ઘણો મોટો ઘટાડો આવ્યો જે રાહતભર્યા સમાચાર છે.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું કે લાગે છે કે જ્યાં સુધી કોરોનાની બીજી લહેરને લાગેવળગે છે ત્યાં સુધી સૌથી ખરાબ સમય પૂરો થયો હોવાનું લાગી રહ્યું છે.મુંબઈમાં સોમવારે ફક્ત 78 મોત થયા છે. દૈનિક મૃત્યુદર લગભગ 2.9 ટકા રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે હજુ પણ દૈનિક મૃત્યુદરમાં ઘટાડો આવશે.
મહારાષ્ટ્રમાં દૈનિક ચકાસણી અને મૃત્યુદરમાં 15 ટકાનો ઘટાડો થયો
મહારાષ્ટ્રમાં દૈનિક ચકાસણી અને મૃત્યુદરમાં 15 ટકાનો ઘટાડો થયો છે તથા રાજ્યમાં સતત બીજા દિવસે કેસોમાં ઘટાડો નોંધાયો છે.
બીએમસી કમિશનર આઈ એસ ચહલે એક નિવેદન જારી કરતા જણાવ્યું કે અમારી આક્રમક ટેસ્ટિંગ પોલીસને કારણે પોઝિટીવિટી રેટમાં ઘટાડો આવ્યો છે જોકે છેલ્લા થોડા દિવસોથી ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ભલામણ કરી છે કે જો પોઝિટિવીટી રેટ 5 ટકા કરતા ઓછો હોય તો જ જે તે શહેરને અનલોક કરી શકાય છે. બીએમસીએ દૈનિક ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવો પડશે.
મહારાષ્ટ્રમાં મોટી રાહત
લવ અગ્રવાલે જણાવ્યું કે મહારાષ્ટ્રના 12 જિલ્લા ઓરંગાબાદ,ધુળે,ભંડારા,ગોંદિયા,જલગાંવ,લાતૂર,મુંબઈ,નાંદેડ,નંદુરબાર,ઠાણે અને વાશીમ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે દિલ્હી,મધ્યપ્રદે,ઝારખંડ જેવા કેટલાક રાજ્યો કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડાના સંકેતો દર્શાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે જોકે બીજા કેટલાક રાજ્યોમાં દૈનિક કેસોની સંખ્યા વધી રહી છે. તથા આ રાજ્યોએ અગમચેતીના પગલાં ભરવા જોઈએ. આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ, હરિયામા,કર્ણાટક,કેરળ,હિમાચલપ્રદેશ,મણીપુરમાં દૈનિક સંક્રમણ વધી રહ્યું હોવાથી તેમણે વધારે ધ્યાન રાખવાની જરુર છે.