મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી રહી છે. એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાતે ત્રણ જગ્યાએ દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે. આ ત્રણ દૂર્ઘટનામાં 21 લોકોનાં મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
દિવાલ ધરાશાયી બનવાની ઘટના મલાડ ઇસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બની છે. મલાડ ઇસ્ટમાં 12 લોકોનાં મોત નિપજ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે. જ્યારે કલ્યાણમાં 3 લોકો દિવાલ ધરાશયીની ચપેટમાં આવી જતાં મૃત્યું પામ્યાં છે.
જ્યારે પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ધરાશયી થઇ જતાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ ત્રણેય ઘટના અડધી રાતે થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે.
Mumbai: 12 dead and 13 injured after a wall collapsed on hutments in Pimpripada area of Malad East due to heavy rainfall. Many feared trapped under the debris. NDRF team present at the spot; rescue operations underway. #Maharashtrapic.twitter.com/aYTp4mBFpP
મુંબઇમાં ભારે વરસાદના પગલે ભારે નુકસાનના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. મલાડ ઇસ્ટના પિંપરી પાડામાં મૂશળધાર વરસાદના કારણે દિવાલી ધરાશયી થઇ જતાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 13 લોકોને ઇજા પહોંચી છે. એનડીઆરએફની ટીમ દ્વારા રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર અને કાંદીવલીની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
જ્યારે મુંબઇમાં બીજી દૂર્ઘટના કલ્યાણમાં સામે આવી. અહીં નશનલ ઉર્દૂ હાઇ સ્કૂલની કપાઉન્ડની દિવાલ ધરાશયી થઇ જતાં 3 લોકનાં મોત નિપજ્યાં છે. આ દિવાલની નજીક કેટલાંક લોકો રહેતા હતા. આ દૂર્ઘટનામાં અન્ય 4 ઘાયલ થયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયૂ ઓપરેશ હાથ ધર્યું છે. રેસ્કયૂ ટીમે 4 લોકોને બચાવી લીધા હતા.
Brihanmumbai Municipal Corporation (BMC): 13 people died in the retaining wall collapse of few hutments built on a hill slope in Kurar Village . Fire Brigade & NDRF had rushed to the spot. #Maharashtrapic.twitter.com/Geb3Pdnk2r
પૂણેમાં ત્રણ દિવસ પહેલા દીવાલ ધરાશયી થથાં 15 લોકોના મોત નિપજ્યા હતા એ ઘટના હજી વિસરાઇ નથી ત્યાં એક વાર ફરી દિવાલ ધરાશયીની ઘટના બની. આ દૂર્ઘટનામાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 4 ઘાયલ થયા છે. આ દૂર્ઘટના પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ધરાશયી થઇ જતા ઘટી છે.