મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે ત્યારે મુંબઈની પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે. રાજ્યો તબલીગી જમાત પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. મુંબઈ પોલીસે (મુંબઇ પોલીસે) તેમાંથી 12 ની ધરપકડ પણ કરી હતી, તેમાંથી 10ને સોમવારે ક્વૉરન્ટાઈન સમય પૂર્ણ કર્યા બાદ જેલમાં મોકલી દેવાયા છે.
મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યા 5589
મુંબઈમાં કોરોનાથી 219 લોકોના મોત થયા
મુંબઈમાં ફરતા 12 જમાતીમાંથી 10ની ધરપકડ
દિલ્હી બાદ મુંબઈમાં 22 દિવસથી ફરતા 12 જમાતીઓએ પોલીસનું ટેન્શન વધારી દીધું છે. 12માંથી જે 10 જમાતીઓની ઘરપકડ કરાઈ છે તે બધા ધારાવી સહિતના વિસ્તારોમાં ફરી ચૂક્યા છે. આ તમામ જમાતીઓ દિલ્હીના મરકઝમાં આયોજિત તબલીગી જમાતમાં સામેલ થયા હતા.
પોલીસે કરી આ કામગીરી
આ ઘટનામાં મુંબઈ પોલીસે સોમવારે 12માંથી 10 ઈન્ડોનેશિયાના નાગરિકોની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે. આ બધા જમાતીઓ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં આયોજનનો ભાગ બન્યા હતા.આ તમામ લોકો 23 માર્ચે મુંબઈ પહોંચ્યા હતા.
12માંથી 2 જમાતી કોરોના પોઝિટિવ
પોલીસે માહિતી આપી છે કે 12 જમાતી મુંબઈ આવ્યા બાદ પશ્ચિમ બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં 29 માર્ચથી રહેતા હતા. તેમાં 6 મહિલાઓ અને 6 પુરુષો હતા. પોલીસે તે તમામને પકડીને હોટલના જ ક્વૉરન્ટાઈન સેન્ટરમાં રાખ્યા હતા. 12માંથી 2 જમાતી કોરોના પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ મળેલા બંનેને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. જેમની સમયસીમા 8 મેના રોજ પૂરી થશે.
6 મહિલાઓ પણ છે સામેલ
જે 10 જમાતીઓ નેગેટિવ છે તેમાં 6 મહિલાઓ પણ છે. દરેકના ક્વૉરન્ટાઈન સમય પૂરો થયા બાદ તેમના ટેસ્ટ કરાયા અને તેઓ 23 એપ્રિલે નેગેટિવ આવ્યા છે. પોલીસે તેમની ધરપકડ કરી છે.
ધારાવીની એક મસ્જિદ પણ ગયા હતા જમાતીઓ
પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે આ તમામ જમાતીઓ મુંબઈ આવ્યા બાદ ગમે ત્યાં ફર્યા હતા અને લૉકડાઉનનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તેઓ ધારાવીની એક મસ્જિદમાં ગયા હતા. આ તમામ જમાતીઓ બે ગ્રૂપમાં આવ્યા હતા અને તેઓ તમામ 29 ફેબ્રુઆરી અને 3 માર્ચે ભારત આવ્યા હતા. પછી જલસામાં સામેલ થયા હતા. આ વિદેશીઓ 7 માર્ચે મુંબઈ પહોંચ્યા અને પછી 29 માર્ચે એક એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા. એટલે કે 22 દિવસ સુધી તેઓ ફરતા જ રહ્યા.
ફ્લેટ આપનારાની તપાસ થઈ શરૂ
પોલીસે જણાવ્યું છે કે દરેકની વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરાયા છે. હવે તેઓની શોધ કરવામં આવી રહી છે જેઓએ આ જમાતીઓને રહેવા બાંદ્રામાં ફ્લેટ આપ્યો છે. જમાતીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને બાંદ્રા પોલીસને તેમની કસ્ટડી આપવામાં આવી છે. કોર્ટે આવનારા આદેશ સુધી દરેકને ભારત ન છોડવાનો આદેશ આપ્યો છે. સાથે દરેકના પાસપોર્ટ જપ્ત કરી લીધા છે.