મુંબઈ પોલીસે નુપુર શર્માને 22 જૂન પહેલા હાજર થવા માટે કહ્યું છે. ખાસ વાત એ છે કે, સાંસદ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા લોકો શર્માની ધરપકડની માંગ કરી રહ્યા હતા.
BJPના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હવે મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યા
દિલ્હી પોલીસે નૂપુર શર્માની અને તેમના પરિવારની સુરક્ષા વધારી
નુપુર શર્માને વિશ્વ હિન્દુ પરિષદનું સમર્થન મળ્યું હતું
BJPના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હવે મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યા
ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હવે મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યા છે. આ કાર્યવાહી પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના મામલામાં કરવામાં આવી છે. તેણે 22 જૂન સુધીમાં હાજર થવાનું રહેશે. જણાવી દઈએ કે પાર્ટીએ કાર્યવાહી કર્યા બાદ નુપુરે પોતાનું વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું હતું. મહત્વનું છે કેસ નુપુર શર્માએ દાવો કર્યો હતો કે, ભગવાન શિવની સતત ઉપહાસ અને અપમાન થતા જોઈને તેમણે આવી પ્રતિક્રિયા આપી હતી. નૂપુરે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેના નિવેદનથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે.
महाराष्ट्र: मुंब्रा पुलिस ने निलंबित भाजपा प्रवक्ता नूपुर शर्मा को 22 जून को उनके विवादास्पद धार्मिक टिप्पणी पर बयान दर्ज करने के लिए समन भेजा।
BJPના સસ્પેન્ડેડ નૂપુર શર્માની સુરક્ષા વધારી દેવામાં આવી છે
દિલ્હી પોલીસે પ્રવક્તા નુપુર શર્મા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે, જેમને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપમાં ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ટિપ્પણી બાદથી નૂપુરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેના વિરુદ્ધ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને સુરક્ષાની વિનંતી કરી. આ FIRના આધારે પોલીસે તેને અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે.
दिल्ली पुलिस ने निलंबित भाजपा प्रवक्ता नूपुर शर्मा और उनके परिजनों को सुरक्षा प्रदान की: दिल्ली पुलिस
નુપુર શર્માને વિશ્વ હિન્દુ પરિષદનું સમર્થન મળ્યું હતું
બીજી તરફ નુપુર શર્માને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું સમર્થન મળ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે નૂપુર શર્માનું નિવેદન સાચું છે કે ખોટું તે કોર્ટ નક્કી કરશે. VHP નેતાએ કોર્ટના નિર્ણયની રાહ જોયા વિના નૂપુરની ટિપ્પણી પરના હિંસક વિરોધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કેટલાક લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર પર વિવાદીત નિવેદન આપવાનું પ્રવક્તા નુપુર શર્માને ભારે પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે નુપુર શર્મા અને નવીન કુમાર જિંદલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.મહત્વનું છે કે, નુપુર શર્માએ એક ટીવી ડિબેટમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર મોહમ્મદ પર વિવાદીત નિવેદન આપ્યું હતું જે પછી તેમના નિવેદનનો મોટાપાયે વિરોધ શરુ થયો હતો અને તેના વિરોધમાં કાનપુરમાં હિંસા ફાટી નીકળી હતી.
પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન મામલે સસ્પેન્ડેડ બીજેપી પ્રવક્તા નૂપુર શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાની ટીપ્પણી બદલ માફી માગી હતી. પાર્ટીમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ ટ્વિટ કર્યું, "હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટ પર જઈ રહી છું, જ્યાં મારા આરાધ્ય શિવજીનું દરરોજ અપમાન થઈ રહ્યું હતું. મારી સામે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે શિવલિંગ નથી પણ એક ફુવારો છે. દિલ્હીના દરેક ફૂટપાથ પર અનેક શિવલિંગ જોવા મળે છે, જઈને પૂજા કરો. આ રીતે વારંવાર આપણા મહાદેવ શિવજીનું અપમાન મારી સામે હું સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ અને થોડી વાતો કહી દીધી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારો ઇરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.