સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલો ઘણો જ ગરમાયો છે, એક બાદ એક દિગ્ગજ કલાકારોના નામ સામે આવી રહ્યાં છે અને લોકોને પોલિસ સ્ટેશન બોલાવવા પડી રહ્યાં છે. શંકાસ્પદ લાગતા દરેક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ અમિત શાહને ટ્વિટ કરીને સીબીઆઇ તપાસ કરાવવા માટે પણ કહ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે નિવેદન આપ્યુ હતું કે, મહેશ ભટ્ટ અને કરન જોહરની પૂછપરછ કરવામાં આવશે. આજે મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી છે.
મહેશ ભટ્ટની અઢી કલાક થઇ પૂછપરછ
કરન જોહરને આપવામાં આવ્યુ સમન્સ
સુશાંત કેસમાં મુંબઇ પોલિસ હરકતમાં
મુંબઇ પોલીસે આશરે અઢી કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન લીધુ હતું. જાણકારી મુજબ, મહેશ ભટ્ટ સવારે 11.30 વાગ્યે પોલીસ સ્ટેશન પહોચ્યા હતાં અને બપોરે 2 વાગ્યે ત્યાંથી બહાર આવતા નજર આવ્યાં હતાં.
પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આ દરમિયાન તેમણે સુશાંત સિંહના બોલિવૂડ કરિઅર અંગે ઘણાં સવાલ કર્યા હતાં. તમને જણાવી દઇએ કે, મુંબઇ પોલીસે મહેશ ભટ્ટને સુશાંત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતાં. જે બાદ તેઓ તેમનું નિવેદન દાખલ કરાવવા પોલીસ સ્ટેશન આવ્યા હતાં. જાણકારી મુજબ, DCPએ પોતે મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી. જે બાદ મહેશ ભટ્ટ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતાં.
અત્યાર સુધીમાં આ મામલે 37 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે. હવે આ મામલે મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ રેકોર્ડ થશે. આ પહેલાં કંગના રનૌતને પણ સમન્સ આપવામાં આવ્યુ હતું. તો બીજી તરફ કરન જોહરનાં મેનેજરને પણ સમન્સ મોકલવામાં આવ્યુ છે. જો જરૂર પડશે તો કરન જોહરનું પણ નિવેદન લેવામાં આવશે.