મુંબઈ પોલીસના એ 4 કોન્સ્ટેબલની ફરીથી નિયુક્તિ મળી ગઈ છે જેમના પર પહેલા એક 22 વર્ષના યુવકની હત્યાનો કેસ ચાલ્યો હતો.
હત્યાના આરોપી 4 કોન્સ્ટેબલની ફરીથી નિયુક્તિ મળી ગઈ
2020માં જુહુની નહેરુ નગર ઝુગ્ગી ઝોપડપટ્ટીમાં 4 કોન્સ્ટેબલના મારથી એક યુવકનું મોત થયાનો આરોપ
ચારેયને અલગ અલગ યુનિટમાં નિયુક્ત કરવામાં આવ્યા
હત્યાના આરોપી 4 કોન્સ્ટેબલની ફરીથી નિયુક્તિ મળી ગઈ
મુંબઈ પોલીસના એ 4 કોન્સ્ટેબલની ફરીથી નિયુક્તિ મળી ગઈ છે જેમના પર પહેલા એક 22 વર્ષના યુવકની હત્યાનો કેસ ચાલ્યો હતો. આ બાદમાં આ ચારેયને જામીન આપવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે 2020માં જુહુની નહેરુ નગર ઝુગ્ગી ઝોપડપટ્ટીમાં તેમના મારથી એક યુવકનું મોત થયું હતુ.
ચારેયને અલગ અલગ યુનિટમાં નિયુક્ત કરવામાં આવ્યા
આ મામલામાં જોઈન્ટ પોલીસ કમિશ્નર રાજકુમાર વાટકરનું કહેવું છે કે ચારેય કોન્સ્ટેબર સંતોષ દેસાઈ, દિગંબપ ચૌહાન, આનંદ ગાયકવાડ અને અંકશ પાલેને લોકલ આર્મ્સ ડિપાર્ટમેન્ટમાં તૈનાતી કરવામાં આવી છે. ચારેયને અલગ અલગ યુનિટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઘટના 29 માર્ચ અને 30 માર્ચ દરમિયાન રાતે બની
આની પહેલા ચારેય કોન્સ્ટેબલ જુહુ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. આ દરમિયાન રાતે પેટ્રોલિંગના સમયે ચારેએ કથિત રીતે 22 વર્ષના રાજૂ વેલૂ દેવેન્દ્રની મારપીટ કરી હતી. આરોપ અનુસાર તે બાદ રાજુનું મોત થયું હતુ. આ ઘટના 29 માર્ચ અને 30 માર્ચ દરમિયાન રાતે થઈ હતી.
ઘટના બાદ અફસરોને તમામ સીસીટીવી ફુટેજને કબ્જેમાં લઈ લીધા હતા
રાજૂના ભાઈ મનિકમની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાજુના પરિવાર આ આરોપ લગાવતો રહ્યો છે કે પોલીસ પોતાના લોકોને બચાવી રહી છે. આ ઘટના બાદ અફસરોને તમામ સીસીટીવી ફુટેજને કબ્જેમાં લઈ લીધા હતા. જેમાં ઘટના રેકોર્ડ થઈ હતી. ત્યારે પોલીસ તરફથી આ મોબ લિંચિંગની ઘટના ગણાવવામાં આવી રહી હતી.
રાજુને નહેરુ નગરના 5 નંબર ચોલના લોકોએ ચોરી કરતા પકડ્યો હતો
રાજુની મા સાયરા દેવેન્દ્રએ જણાવ્યું કે પોલીસે અમને જણાવ્યું કે રાજુને નહેરુ નગરના 5 નંબર ચોલના લોકોએ ચોરી કરતા પકડ્યો હતો અને તેની પિટાઈ
કરી હતી જેમાં તેનું મોત થયું હતુ.
2020ની વચ્ચેના મહિનામાં વકીલ બહરેજ ઈરાનીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજો ખખડાવ્યો છે. જેમાં વિનંતી કરવામાં આવી છે કે લોકડાઉન દરમિયાન રાજ્યભરમાં પોલીસની બર્બરતાની સંજ્ઞાન લેવામાં આવે. ઈરાની બાદમાં એક જનહિતની અરજી કરી, જે બાદ કોર્ટે પોલીસના 4 કોન્સ્ટેબલોની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેને ગત ઓગસ્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મામલાની તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતુ. કોન્સ્ટેબલોની 9 સપ્ટેમ્બર 2020એ ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં એસઆઈટીએ ચાર્જશીટ દાખલ કરી. જેમાં તેમણે કોન્સ્ટેબલોની વિરુદ્ધ હત્યાનો આરોપ હટાવી દીધો અને તેની જગ્યાએ બિન ઈરાદે હત્યાની કલમ લગાવી. ચારેયને 3 નવેમ્બર 2020માં જામીન મળી ગયા હતા. એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ કહ્યું કે તેમણે ફરજ પર રાખવાનો નિર્ણય મુંબઈ પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં થયેલી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યારે રાજુની માનું કહેવું છે કે પરિવાર આ મામલાને નેક્સ સુનવણીમાં કોર્ટમાં ઉઠાવશે.