મુંબઈના મલાડના રહેવાશી શહનવાઝ શેખે કોરોનાના દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા પોતાની 22 લાખની SUV કાર વેચી દીધી હતી.
શહનવાઝ શેખ મુંબઈના મલાડના રહેવાશી
2020 માં 22 લાખની SUV કાર વેચી દીધી
160 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા હતા
જરુરીયાતમંદોને પહોંચાડવાનું શરુ કર્યું હતું
કોરોના મહામારીના સંકટમાં મુંબઈના મસીહા બનેલા શહનવાઝ શેખે અત્યાર સુધી 4 હજાર કોરોનાના દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પહોંચ્યા છે.
22 લાખની SUV વેચીને 160 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા
શેખે ગયા વર્ષે 22 લાખની SUV વેચી દીધી અને અને તેના જે પૈસા આવ્યાં તેમાંથી 160 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા અને જરુરીયાતમંદોને પહોંચાડવાનું શરુ કર્યું. શેખનું આ નેક કામ હજુ પણ ચાલુ છે. શાહનવાઝે કહ્યું કે ગયા વર્ષે પણ મેં ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડ્યાં હતા. પરંતુ આ વખતે પૈસા ખતમ થઈ ગયા હોવાથી મેં મારી કાર વેચવાનો નિર્ણય લીધો.
ક્યાંથી પ્રેરણા મળી, શાહનવાઝ કર્યો ખુલાસો
શાહનવાઝ કહે છે કે કોરોના મહામારીની શરુઆતમાં મારા એક દોસ્તની પત્નીનું ઓક્સિજનની અછતને કારણે ઓટો રિક્ષામાં મોત થયા હતું. તેણે કહ્યું કે આ ઘટનાથી હું ખળભળી ઉઠ્યો અને તે જ વખતે મેં જરુરીયાતમંદ લોકોને ઓક્સિજન પૂરો પાડવાનો નિર્ણય કરી લીધો હતો અને ત્યારથી લોકોને ઓક્સિજન પૂરો પાડી રહ્યો છું. તે કહે છે કે લોકો મારા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મેં એક હેલ્પલાઈન નંબર પણ શરુ કર્યો છે જેની પર ફોન કરીને કોઈ મારી પાસેથી ઓક્સિજન સિલિન્ડર મંગાવી શકે છે.
આજકાલ 500 થી 600 કોલ આવી રહ્યાં છે.
શાહનવાઝ કહે છે કે પહેલા તો 50 ફોન આવતા હતા પરંતુ આજકાલ તો 500 થી 600 ફોન આવી રહ્યાં છે. પરંતુ અમે ફક્ત 10 થી 20 ટકા લોકો સુધી જ મદદ પહોંચાડી રહ્યાં છીએ. હાલમા મારી પાસે 200 ઓક્સિજન સિલિન્ડર છે જેમાંથી 40 ભાડાના છે. જે લોકો સિલિન્ડર લેવા આવી શકવાની હાલતમાં ન હોય તેવા તેમને ઘેરબેઠા સિલિન્ડર પૂરા પાડવામાં આવે છે. અમુક લોકો રુબરુમાં આવીને લઈ જાય છે.