મુંબઇથી નાગપુરને કનેક્ટ કરતો સમૃદ્ધિ મહામાર્ગનાં પહેલા ચરણનું પ્રધાનમંત્રી મોદી આજે લોકાર્પણ કરશે. આ મહામાર્ગ બની જવાથી મુંબઇથી નાગપુરની યાત્રા માત્ર 8 કલાકની રહેશે.
મુંબઇ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગની કામગીરી ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ થઇ જશે તેવું મહારાષ્ટ્ર સરકારનું અનુમાન છે. કેન્દ્ર સરકાર પણ દિલ્હીથી મુંબઇની વચ્ચે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઇ-વે બનાવી રહી છે જેની માહિતી નીતિન ગડકરીએ પણ આપી હતી.
સમૃદ્ધિ મહામાર્ગ વિશે માહિતી
સમૃદ્ધિ મહામાર્ગ એટલે કે મુંબઇ-નાગપુર એક્સપ્રેસ વે આશરે 55000 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ ભારતનાં સૌથી લાંબા એક્સપ્રેસ હાઇવેમાંનો એક છે કે જે મહારાષ્ટ્રનાં 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ, નાશિકનાં પ્રમુખ શહેરી ક્ષેત્રોમાંથી પસાર થાય છે. દાવો કરવામાં આવે છે કે આ એક્સપ્રેસ વેની આસપાસનાં 14 અન્ય જિલ્લાઓની કનેક્ટિવીટીને ઉત્તમ બનાવવામાં મદદ મળશે.
PM @narendramodi ’s vision of integrated planning and coordinated implementation of infra projects under ‘PM Gati Shakti’ is exemplified by #SamruddhiMahamarg which will connect to the Delhi-Mumbai Expressway and Jawaharlal Nehru Port Trust.
n3 pic.twitter.com/gbd5v5ZVv1
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ મધ્યપ્રદેશનાં રીવામાં જણાવ્યું કે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર 2023 સુધી બની જશે. આ હાઇ વે બન્યા બાદ દિલ્હીથી મુંબઇની યાત્રા માત્ર 12 કલાકમાં પૂરી કરી શકાશે.
Vision of integrated planning and coordinated implementation of infra projects under ‘PM Gati Shakti’ is exemplified in Devendra Fadnavis Dream Project of Samruddhi Mahamarg
દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઇવે
આ દુનિયાનો સૌથી લાંબો 1380 કિ.મી એક્સપ્રેસવે બનશે. જે દેશનાં 6 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થાય છે. તેના લીધે મુંબઇથી દિલ્હીનો સફર માત્ર 12 કલાકમાં પૂરો કરી શકાશે. આ બે રાજ્યની વચ્ચે યાત્રાનો સમય હાલમાં 24 કલાક છે.
Samruddhi Mahamarg will be a game-changer in providing a major boost to economic development of Maharashtra
Will connect to the Delhi Mumbai Expressway, Jawaharlal Nehru Port Trust and tourist locations like Ajanta Ellora Caves, Shirdi, Verul, Lonar, etc. pic.twitter.com/vidvjd7Iud
મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓનું પણ રખાયું છે ધ્યાન
આ એશિયાનો એવો એક્સપ્રેસ વે છે જેમાં વન્યજીવો માટે ગ્રીન ઓવરપાસની સુવિધા બનાવવામાં આવી છે. એટલે કે જંગલી પ્રાણીઓ વનમાં વિચરણ કરતાં રોડ પર આવશે નહીં. જેથી દુર્ઘટનાનો શિકાર બનતા અટકાશે.
ગુજરાત સહિત અનેક રાજ્યોને થશે ફાયદો
દિલ્હી મુંબઇ એક્સપ્રેસવેનું નિર્માણ પૂરું થવાથી જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતૌડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, અમદાવાદ, વડોદરા જેવા આર્થિક કેન્દ્રોની કનેક્ટિવિટીમાં સુધાર થશે. તેનાથી આ શહેરોમાં આર્થિક ગતિવિધિઓને બળ મળશે.
423 કિલોમીટર ભાગ ગુજરાતમાં
આ એક્સપ્રેસવે બનવાથી માત્ર દિલ્હી અને મુંબઇનાં લોકોને નહીં પરંતુ અનેક રાજ્યોને ફાયદો થશે. આ એક્સપ્રેસવેનો 160 કિમી હિસ્સો હરિયાણામાં, 374 કિમી રાજસ્થાનમાં, 245 કિમી હિસ્સો મધ્યપ્રદેશમાં અને 423 કિમી ગુજરાતમાંથી પસાર થશે. જેનાથી અમદાવાદ, વડોદરા, ઉદયપુર, અજમેર, જયપુર વગેરે શહેરોમાં કનેક્ટિવિટી પણ વધુ સારી થશે.