મુકેશ અંબાણીના બંગલા બહાર તૈનાત એક 31 વર્ષીય CRPF જવાન ભૂલથી બંદૂક ચાલી જતા શહીદ થયો છે. મૃતક દેવદાન બકોત્રા જૂનાગઢના કેશોદનો રહેવાસી છે. બુધવાર સાંજે 7 વાગ્યા આસપાસ મુકેશ અંબાણીના 27 માળના બંગલા 'એંટીલિયા' બહાર સુરક્ષામાં જવાન તૈનાત હતો. હાલ પોલીસે જવાનના મોત અંગે તપાસ હાથ ધરી છે.
જવાન ઓન ડ્યુટી પર હતો ત્યારે મિસફાયરથી શહીદ થયો
શહીદ યુવાન છેલ્લા ચાર વર્ષથી CRPFમાં ફરજ બજાવતા હતો
કેશોદના ડેરવાણ ગામનો બકોત્રા દેવદાન શહીદ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં તૈનાત જવાન શહીદ થયા છે. મૂળ કેશોદના ડેરવાણ ગામના જવાન ફરજ દરમિયાન શહીદ થયા છે. દેવદાન બકોત્રા નામના જવાનને ફરજ દરમિયાન ગોળી વાગી હતી. છેલ્લા ચાર વર્ષથી ડેરવાણ ગામના જવાન CRPFમાં ફરજ બજાવતો હતો.
#UPDATE: CRPF officer Rambhai Bhakatra who was injured yesterday after two bullets were accidentally fired from his automatic rifle, died today at a hospital. #Mumbaihttps://t.co/JJxnbmWEbl
પ્રાથમિક તપાસમાં અધિકારીઓને જાણવા મળ્યું કે, બકોત્રા અચાનક ઢળી પડ્યા જેને લઇને બંદૂકથી ગોળી ચાલી ગઇ. તેની છાતીમાં બે ગોળી વાગી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા જ્યાં મોટી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું. પોસ્ટમોર્ટમ બાદ બકોત્રાનો મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસે જણાવ્યું કે, ગામદેવી પોલીસ સ્ટેશનમાં દુર્ઘટનામાં મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારી રાજીવ જૈને કહ્યું કે આ આકસ્મિક ગોળી ચાલવાથી થયું છે. આ આત્મહત્યાનો મામલો નથી લાગતો.