મુંબઈ શહેરના મેયર કિશોરી પેડનેકરે એવું નિવેદન આપ્યું કે ત્રીજી લહેર આવવાની નથી પરંતુ આવી ગઈ છે. સાથેજ તેમણે ગણેશ ઉત્સવમાં લોકોને સાવધાની રાખવા પણ સલાહ આપી છે.
મુંબઈનાા મેયરે આપ્યું ચોંકવનારુ નિવેદન
ત્રીજી લહેરને લઈને કહ્યું આવી ગઈ છે ત્રીજી લહેર
ગણેશ ઉત્સવમાં સાવધાની રાખવા લોકોને આપી સલાહ
મુંબઈની મેયર કિશોરી પેડનેકરે લોકોને ચેતવણી આપતા એવું કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર આવી નથી આવવાની નથી પરંતુ આવી ગઈ છે. મીડિયા સાથે વાચચીત કરતા કહ્યું ગણપતિ બાપ્પા આવી રહ્યા છે. જેથી મારા ઘરે મારા બાપ્પા હુ મારા બાપ્પાને છોડીને ક્યાંય નહી જઉ. તે સિવાય મારું મંડળ મારા બાપ્પાનો ઉલ્લેખ કરતા તેમણે મંડળના 10 વ્યક્તિઓ માસ્ક લગાવ્યા વગર ક્યાંય ન ફરે.
સમગ્ર મામલે ત્રીજી લહેરને લઈને તેમણે એવું કહ્યું કે ત્રીજી લહેર આવવાની નથી પરંતુ આવી ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. જે મામંલે કેબિનેટ મંત્રી નિતિન રાઉતે કહ્યું કે શહેરમાં બે દિવસમાં સંક્રમણ જે રીતે વધ્યુ છે. જે રીતે પહેલા 2 લેહરમાં સંક્રમણ બેકાબૂ થયું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવાશે
રાઉતે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવશે. તે ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લગાડવાનો પણ નિર્ણય લેવાયો છે. જોકે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
આંશિક લોકડાઉન કરવામાં આવે તેવી શક્યતા
નીતિન રાઉતે ભવિષ્યના પ્રતિબંધોની રુપરેખા અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે હાલમાં 78 ટકા સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. તે ઉપરાંત જે રેસ્ટોરન્ટ રાતના 10 સુધી ખુલ્લી રહેતી હતી તેમને હવે રાતના 8 સુધી તથા જે દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી તેમને હવે 4 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.