મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોના વાયરસ વધતાં જતાં કેસની વચ્ચે રસીની અછત પણ ચિંતાનું કારણ બની છે.
મુંબઈની મેયર કિશોરી પેડનેકરે આપ્યું નિવેદન
રસીનો સ્ટોક ખૂટી પડતાં આપ્યું નિવેદન
મુંબઈમાં આજે ૫૧ રસીકરણ કેન્દ્ર બંધ હતા
મુંબઇમાં છેલ્લા અમુક દિવસોથી રસીનો સ્ટોક લગભગ ખૂટી જવા આવ્યો છે, આ મામલે જો કે મુંબઈની મેયર કિશોરી પેડનેકર દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને અન્ય માધ્યમોથીપણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો, આ રીતની માહિતી પોતે મેયર કિશોરી પેડનેકર દ્વારા આપવામાં આવી હતી.
PM is serious and proactive about our issues but it seems that the people under PM are not taking this issue with the same seriousness: Mumbai Mayor Kishori Pednekar#COVID19pic.twitter.com/6VksogcX3B
જો કે આ દરમિયાન, મુંબઈની મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે મુંબઈમાં હાલમાં ઘણા એવા રસીકરણ કેન્દ્રો છે જ્યાં એક પણ ડોઝ ઉપલબ્ધ નથી અને તેના કારણે હવે રસીકરણ અભિયાન બંધ થઈ ગયું છે. તેમણે કોરોના સામેના યુદ્ધમાં પીએમ મોદીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી, પરંતુ કહ્યું કે તેમના હેઠળ કામ કરનારા લોકો આ મુદ્દા અંગે ગંભીર નથી. મહત્વનું છે કે શુક્રવારે કુલ 51 કેન્દ્રો પર રસીકરણ થઈ શક્યું નહોતું.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, "મુંબઈમાં ઘણા એવા રસીકરણ કેન્દ્રો છે, જ્યાં રસીનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી અને આને કારણે લોકોને રસી નથી મળી રહી." મને જાણ કરવામાં આવી છે કે આજે લગભગ 76 હજારથી 1 લાખ રસી જેટલા રસીના ડોઝ મુંબઇ પહોંચવા જઈ રહ્યા છે. જો કે, આ વિશે મારી પાસે કોઈ સત્તાવાર સૂચના નથી.
પીએમ મોદીની નીચેના લોકો આ મુદ્દાને ગંભીરતાથી નથી લઈ રહ્યા
તેમણે કહ્યું કે વડા પ્રધાન અમારી સમસ્યા અંગે ગંભીર અને સક્રિય છે, પરંતુ એવું લાગે છે કે વડા પ્રધાનની હેઠળ કાર્યરત લોકો આ મુદ્દાને આટલી ગંભીરતાથી લઇ રહ્યા નથી. તેમણે કહ્યું કે અમે કોરોનાને પહોંચી વળવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ અને હોસ્પિટલોમાં બેડ સહિતની અન્ય સુવિધાઓ યુદ્ધના ધોરણે વધારવામાં આવી છે.
મહત્વનું છે કે રસીના અભાવને કારણે શુક્રવારે મુંબઇમાં 50 રસીકરણ કેન્દ્રો બંધ રહેવાના હતા. આ ઉપરાંત, મર્યાદિત સ્ટોકને કારણે, કેટલાક કેન્દ્રો જ્યાં રસી આપવામાં આવી રહી છે તેની અંગેની સ્થિતિ પણ સામાન્ય નથી. મહત્વનું છે કે આજે મુંબઈના 69 રસીકરણ કેન્દ્રો પર અસરકારક રીતે રસી અપાઈ. નોંધનીય એ પણ છે કે મુંબઈમાં કુલ ૧૨૦ જેટલા રસીકરણ કેન્દ્રો છે, જેમાં દરરોજ 200થી વધુ સત્રોમાં કામ કરવામાં આવે છે.
કેટલાક સ્થળોએ રસીકરણ બંધ કરવામાં આવ્યું
શુક્રવારે બંધ રહેલા કેટલાક કોરોના રસીકરણ કેન્દ્રોમાં બીકેસી જનબો કોવિડ યુટિલિટી સેન્ટર, દહીસર જમ્બો સેન્ટર, કૂપર હોસ્પિટલ, કસ્તૂરબા હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, સાયન હોસ્પિટલ, વી.એન. દેસાઇ હોસ્પિટલ, ભટ્ટી હોસ્પિટલ અને બ્રીચ કેન્ડી હોસ્પિટલ પણ સામેલ છે.