ઓગષ્ટ 2021માં ભારતની અલગ-અલગ કોર્ટમાં 3 વૈવાહિક બળાત્કારના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો. કેરળ હાઈકોર્ટે 6 ઓગષ્ટે એક ચુકાદામાં કહ્યું હતુ કે વૈવાહિક બળાત્કાર ક્રૂરતા છે અને આ છૂટાછેડાનું કારણ બની શકે છે.
વૈવાહિક બળાત્કાર ક્રૂરતા છે, છૂટાછેડાનું છે કારણ
ભારતમાં વૈવાહિક બળાત્કાર ગુનો નથી
વૈવાહિક બળાત્કારના કેસોને કાયદાના આધારે ફગાવ્યાં
પત્નીની ઈચ્છા વગર શારિરીક સંબંધ બનાવવો ગેરકાયદેસર નથી
12 ઓગષ્ટે મુંબઈ સિટી એડિશનલ સેશન્સ કોર્ટે કહ્યું કે, પત્નીની ઈચ્છા વગર શારિરીક સંબંધ બનાવવો ગેરકાયદેસર નથી. 26 ઓગષ્ટે છત્તીસગઢ કોર્ટે વૈવાહિક બળાત્કારના એક આરોપીને એવુ કહી જામીન આપ્યાં કે ભારતમાં વૈવાહિક બળાત્કાર ગુનો નથી. અમે આજે એવા કેસોની ચર્ચા કરીશું જે કોર્ટમાં ગયા અને આ કેસોને કાયદાના આધારે ફગાવી દેવામાં આવ્યાં. આવા મામલા વિશ્વના 185 દેશોમાંથી 151 દેશોમાં ગુનાની શ્રેણીમાં આવે છે.
કોર્ટે કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ગુનો નથી
2 જાન્યુઆરી, 2021ના રોજ મુંબઈનું એક દંપત્તિ મહાબળેશ્વર ફરવા માટે ગયુ હતુ. રાત્રે પતિએ પત્નીની સાથે સેક્સ કરવાનું વિચાર્યુ તો પત્નીએ ઈન્કાર કર્યો, કારણકે પત્નીની તબિયત સારી ન હતી. પરંતુ જબરજસ્તી કરી પત્ની સાથે સેક્સ માણ્યુ. ત્યારબાદ પત્નીની તબિયત વધારે ખરાબ થઈ. ડૉકટરે કહ્યું કે, પત્નીના કમરના નીચેના ભાગમાં લકવા મારી ગયો છે. પત્નીએ પતિની સામે વૈવાહિક બળાત્કારનો કેસ નોંધ્યો. 12 ઓગષ્ટ, 2021ના રોજ એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, વૈવાહિક બળાત્કાર ભારતમાં ગુનો નથી.
સેશન્સ કોર્ટે પતિને દોષી ઠેરવ્યો, હાઈકોર્ટે આપ્યાં હતા જામીન
છત્તીગસઢની એક યુવતીના લગ્ન 2017માં થયા. થોડા દિવસ બધુ સારુ રહ્યું. પરંતુ ત્યારબાદ પતિ-પત્નીની વચ્ચે અચાનક ઝગડો થયો. પત્નીનો આરોપ હતો કે પતિ તેની મરજી વગર જબરજસ્તી સંબંધ બનાવતો હતો. ત્યારબાદ પત્નીએ પોતાના પતિની સામે બળાત્કાર, અનનેચરલ સેક્સનો કેસ નોંધાવ્યો. આ આખો મામલો કોર્ટ પહોંચ્યો. સેશન્સ કોર્ટે પતિને દોષી ઠેરવ્યો. પરંતુ 26 ઓગષ્ટ 2021ના રોજ હાઈકોર્ટે પતિને બળાત્કારના આરોપમાંથી જામીન આપ્યાં.