mumbai maharashtra political crisis governor bhagat singh koshyari is not forced to give floor test date opposition parties take these steps says constitution experts
મહારાષ્ટ્ર /
જરૂરી નથી કે ગવર્નર ભાજપને બહુમત માટે ફ્લોર ટેસ્ટ આપે, વિપક્ષોએ કરવું પડશે આ કામ
Team VTV09:12 PM, 23 Nov 19
| Updated: 09:15 PM, 23 Nov 19
મહારાષ્ટ્ર ( Maharashtra )માં વર્તમાન રાજકીય ઘટનાક્રમ બાદ રાજ્યપાલની ભૂમિકાને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે સવારે બીજેપી ( BJP ) નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) ને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા.
મહારાષ્ટ્રમાં રાજ્યપાલની ભૂમિકાને લઇને સવાલો ઉભા થયા
મહારાષ્ટ્રમાં રાજ્યપાલની ભૂમિકા પર વિપક્ષી પાર્ટીઓએ સવાલ ઉઠાવ્યા
રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલો નિર્ણય કોઇપણ કોર્ટમાં પડકારી શકાતો નથી
એનસીપી ( NCP ) નેતા અજિત પવારને ઉપ મુખ્યમંત્રી ( Deputy CM ) પદ માટે શપથ અપાવામાં આવ્યા. પરંતુ આ નિર્ણયને લઇને વિપક્ષી પાર્ટીઓએ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ ( Congress ), શિવસેના ( Shivsena ) અને એનસીપી ( NCP ) નેતા શરદ પવારે રાજ્યપાલના આ નિર્ણયને બંધારણના અંતર્ગત માન્યો નથી.
શુ કહે છે બંધારણ વિશેષજ્ઞ
રાજ્યપાલના આ નિર્ણય પર બંધારણ વિશેષજ્ઞોએ અલગ-અલગ વાત કહી છે. દેશના જાણીતા બંધારણ વિશેષજ્ઞ અને લોકસભાના પૂર્વ મહાસચિવ સીકે જૈન ( C K Jain ) એ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યપાલ સામાન્યપણે 3થી 10 દિવસની અંદર બહુમત સાબિત કરવા માટે સમય આપી દે છે. આ એક આદર્શ સ્થિતિ છે, પરંતુ બંધારણમાં એવુ સ્પષ્ટ લખવામાં નથી આવ્યું કે, રાજ્યપાલે બહુમત સાબિત કરવા માટે એક નિશ્ચિત સમયમર્યાદા દરમિયાન જ સમય આપવાનો હોય છે. આ રાજ્યપાલનો વિશેષાધિકાર અને સ્વવિવેક છે કે તે 3 દિવસનો સમય આપે અથવા તેનાથી વધારે. મહારાષ્ટ્રમાં જો રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે સમય નથી આપ્યો તો વિપક્ષી પાર્ટીઓએ રાજ્યપાલને મળીને ગૃહ બોલાવવા માટે કહેવું જોઇએ.
જૈન આગળ કહે છે કે, રાજ્યપાલની પાસે એ પણ અધિકાર છે કે તે કોને મુખ્યમંત્રી નિમણૂક કરે છે. રાજ્યપાલ પર નિર્ભર કરે છે કે તેઓ જેવા પણ સંતુષ્ટ હોય અથવા જો તે સંતુષ્ટ છે તો તેઓ મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે. રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલો નિર્ણય કોઇપણ કોર્ટમાં પડકારી શકાતો નથી.
જોકે, શિવસેનાએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસના મહારાષ્ટ્રના સીએમ અને અજિત પવારના ડેપ્યુટી સીએમના રૂપે શપથ લેવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જોકે, બીજેપીનો દાવો છે કે તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.
કેબિનેટની મંજુરી વિના હટાવાયું રાષ્ટ્રપતિ શાસન
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટે કેબિનેટની મંજુરી લેવામાં આવી નથી. તેનો નિર્ણય વડાપ્રધાને સ્વંય લીધો. ભારત સરકાર ( કાર્ય - સંચાલન ) નિયમ ( The Government Of India Transaction Of Business Rules ) મુજબ બંધારણના અનુચ્છેદ 77ની ત્રીજી સબસેક્શન મુજબ સરકારના કામકાજને કોઇ અવરોધ વિના ચલાવવા માટે રાષ્ટ્રપતિએ કેટલાક નિયમો બનાવ્યા હતા.
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ નિયમ 4 જાન્યુઆરી, 1961ના દિવસે લાગુ કરવામાં આવ્યા હતા. આ નિયમોમાં 12માં નિયમ મુજબ વડાપ્રધાન ( PM ) કોઇપણ મામલા અથવા કોઇપણ વર્ગના મામલામાં અનુમતિ આપી શકે છે. અથવા નિયમોથી પ્રસ્થાન કરી શકે છે. તેનો ઉપયોગ કરતા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું.