દેશમાં કોરોનાવાયરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3.20 લાખ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં, કોરોનાના 1.04 લાખ કેસ નોંધાયા છે. ઉદ્ધવ ઠાકરે સરકારે હવે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે ફરી એકવાર મહારાષ્ટ્રની જીવાદોરી તરીકે ઓળખાતી લોકલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે, રેલવે મંત્રાલયે રાજ્ય સરકારને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સોંપવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં, મુંબઈ લોકલ ટ્રેન ફરી એકવાર શરૂ થઈ જશે.
લોકડાઉનના પાંચમા તબક્કામાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, ઘણી આવશ્યક સુવિધાઓને ફરીથી શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મુક્તિઓમાં, ઉદ્ધવ ઠાકરે સરકારે ગૃહ મંત્રાલયને ભલામણ કરી હતી કે તેઓ આવશ્યક સેવાઓ અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે લોકલ ટ્રેનો શરૂ કરે. રાજ્ય સરકારની ભલામણ બાદ હવે રેલવે મંત્રાલયે ઉદ્ધવ ઠાકરે સરકારને લોકલ ટ્રેન સેવા શરૂ કરવા સૂચનો આપવા જણાવ્યું છે. એવું કહેવાય છે કે તમામ ફાસ્ટ ટ્રેનના સ્ટેશનો પર લોકલ ટ્રેન ઉભી રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં, મુંબઈ લોકલ ટ્રેન ફરી એકવાર શરૂ થઈ જશે.
અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓની શાળાઓ અલગ અલગ મહિનાઓમાં ખુલી શકે છે
મહત્વનું છે કે, મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે પણ શાળાઓ ખોલવાની તારીખોનું સૂચન આપ્યું છે. વિભાગે કહ્યું કે ધોરણ 1 થી 5 સપ્ટેમ્બરમાં ખોલવા જોઈએ. જ્યારે ધોરણ 6 થી 8 ઓગસ્ટમાં, ધોરણ 9 અને 10 જુલાઈમાં અને 11મુ ધોરણ 10માં ધોરણનું પરિણામ આવે ત્યાર બાદ ખોલવા જોઈએ.
ફરીથી લોકડાઉન નહીં કરવામાં આવે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. ઉદ્ધવ ઠાકરેની CMO દ્વારા કરેલા એક ટ્વીટમાં માહિતી આપી હતી કે ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં નહીં આવે. મુખ્યમંત્રી ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરેએ લોકોને વિનંતી કરી છે કે તેઓ ગમે ત્યાં ભીડ ન કરે અને સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરે.