આઈપીએલ 2021ની અંતિમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદ્રાબાદને પરાજય આપ્યો. પરંતુ આ વખતે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવાથી ચૂકી ગયા હતા. 2018 બાદ આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સેમી ફાઈનલમાં પહોંચી નથી.
T-20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર
ભારતીય ટીમના આ ત્રણ ખેલાડીઓ પાસેથી મોટી અપેક્ષા
હાર્દિક પંડ્યાની બેટીંગ સારી, પરંતુ બોલિંગની ચિંતા ?
આઈપીએલ બાદ ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે
રસપ્રદ વાત એ છે કે છેલ્લાં બંને આઈપીએલની ચેમ્પિયન રોહિત શર્માની ટીમ હતી. મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે આઈપીએલમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ખરેખર, આઈપીએલ પૂર્ણ થયા બાદ ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. એવામાં ભારતીય ટીમના ખેલાડી ત્યાંથી પોતાના મિશનમાં જોડાઈ જશે. મુંબઈ ઈન્ડિયન્સના કેટલાંક ખેલાડીઓ એવા છે, જે ભારતીય ટીમનો ભાગ છે. જેમાં રોહિત શર્મા, ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
ઈશાન-સુર્યા પાછા આવી શકે
આઈપીએલનો બીજો ભાગ જ્યારે શરૂ થયો હતો ત્યારે સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ખરાબ ફોર્મમાં હતા. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હતો. ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવે સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામેની મેચમાં તોફાની ઈનિંગ રમી. કંગાળ પ્રદર્શનથી ઝઝૂમતા ઈશાન કિશને થોડા દિવસો પહેલાં ફક્ત 32 બોલમાં 84 રન બનાવ્યાં હતા. તેની પહેલાની મેચમાં ઈશાને 25 બોલમાં 50 રન બનાવ્યાં હતા. તો સુર્યકુમાર યાદવે પણ ફક્ત 40 બોલમાં 82 રન બનાવ્યાં.
હાર્દિક પંડ્યાની બોલિંગની ચિંતા ?
આ બંને બેટ્સમેનો સિવાય હાર્દિક પંડ્યાએ પહેલાની મેચમાં બેટીંગમાં થોડું સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. પરંતુ હાર્દિક બોલિંગ કરી શકતો નથી તે હજી ચિંતાનો વિષય છે. કારણકે જો હાર્દિક બેટ્સમેનની સાથે ચાર ઓવર ના કાઢી શકતો હોય તો પ્લેઈંગ 11માં તેનું સ્થાન મુશ્કેલીમાં પાડી શકે છે.