ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે ક્રિકેટનો મહા તહેવાર. IPL 2022ની શરુઆત લગભગ 15 દિવસ પહેલા થઈ ગઈ છે, પરંતુ પાંચ વખતથી આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચ હારી ગઈ છે. મુંબઈની હારથી તમામ ચાહકોનું દિલ તૂટી ગયું છે. ગઈકાલની મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને દંડ ભરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે માત્ર કેપ્ટન રોહિત શર્મા જ નહીં પરંતુ ટીમના અન્ય ખેલાડીઓએ પણ દંડ ભરવો પડશે.
રોહિત શર્માને ભરવો પડ્યો દંડ
વાત એ છે કે રોહિત શર્માને ધીમી ઓવર રેટ માટે ફ્રેન્ચાઇઝીએ 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને બાકીના ખેલાડીઓ પર 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો ખેલાડીઓ દંડની રકમ નહી ભરે તો તેઓની ફીના 25% દરેક ખેલાડીએ ચૂકવવા પડશે. મુંબઈ ઈન્ડિયન્સની આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોનું દિલ તૂટી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી જે આશાઓ રાખવામાં આવી હતી, તે આશાઓ મુંબઈ ઈન્ડિયન્સે પાણી ફેરવી દીધુ છે.
મુંબઈ ઈન્ડિયન્સે હવે આઈપીએલની આ સિઝનમાં ટકી રહેવા માટે બાકીની નવ મેચમાંથી આઠ મેચ જીતવી પડશે. IPL સિઝન 15માં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી.