મહારાષ્ટ્રમાં શુક્રવારે મોનસૂનને ધમાકેદાર એન્ટ્રી મારી છે. ધોધમાર વરસાદથી મુંબઇવાસીઓને ગરમીમાંથી તો રાહત મળી છે પરંતુ હવે વરસાદના પાણીથી મુંબઇવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. મુંબઇમાં શુક્રવારે સવારથી જ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર 24 કલાક મુંબઇમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આ સિલસિલો આગામી ત્રણ દિવસ પણ ચાલુ રહેશે. બીએમસી અનુસાર, મુંબઇ શહેરમાં 127 મિમી વરસાદ પડ્યો. પશ્ચિમ ઉપનગરમાં 170 મિમી વરસાદ પડ્યો અને પૂર્વી ઉપનગરમાં 24 કલાકમાં 197 મિમી વરસાદ થયો. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ તટ પર ચોમાસુ સક્રિય છે. મુંબઇના ઠાણે અને પશ્ચિમી કિનારાની આસપાસ ભારે વરસાદની આશંકા છે.
According to BMC, Mumbai City received 127 mm rainfall, western suburbs received 170 mm rainfall and eastern suburbs received 197mm rainfall, in last 24 hours; According to IMD, heavy rainfall is expected in #Mumbai today. pic.twitter.com/bETXXFh1F1
મુંબઇ, ઠાણે અને પાલઘર સિવાય નાસિકથી પણ ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ગત 36 કલાકમાં 400 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી અહીં એક ઝાડ પડી જવાથી બે કાર ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે.
Mumbai: Two cars damaged in Sion Koliwada Punjabi Camp after a tree fell down on them, following heavy rainfall in the area today. #Maharashtrapic.twitter.com/ywCRquvuG6
ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે અંધેરીના સબ વેમાં પાણી ભરાયા છે. તેથી લોકોને મુસાફરીમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીએમસીએ કોઇપણ બનાવથી બચવા માટે લોકોને મેનહોલ ખોલવાથી મનાઇ ફરમાવી છે. ભારે વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મુંબઇમાં વરસાદ બાદ થયેલ દૂર્દશાનો મામલો વિધાસનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય અમીન પટેલે મહાનગરમાં પાણી ભરાવાને માટે મુંબઇ મહાનગરપાલિકામાં સત્તારૂઢ શિવસેનાને જવાબદાર ઠેરવી હતી.
India Meteorological Department, Mumbai: Very active monsoon conditions over west coast, with deep westerlies. Heavy rainfall expected in #Mumbai, #Thane & around west coast. pic.twitter.com/ElwYKnF4Gj
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી લોકોને પાણી ભરાવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ બીજી તરફ રેલ અને હવાઇ સેવાને પણ અસર પડી છે. વરસાદને કારણે મુંબઇ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ છે. શુક્રવારે આ વિઝિબિલિટી 700 મીટર હતી. ભારે વરસાદને પગલે ધીમી ગતિના વાહનવ્યવહારથી ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો છે.
ભારે વરસાદને કારણે પૂણેમાં દીવાર ધરાશાઇ થવાથી 15 લોકોના મોત થયા છે. આ આ ગંભીર ઘટના પૂણેના કોંઢવામાં થયો છે. આ દુર્ઘટનામાં ઘણા ઘાયલ પણ થયા છે. રાહત અને બચાવ કાર્ય હાલ ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનામાં મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાનું એલાન કર્યું છે.
ડીએમે કહ્યું કે, ભારે વરસાદને કારણે આ બનાવ બન્યો હતો. કંસ્ટ્રક્શન કંપનીની બેદરકારીને કારણે આ બનાવ બનવા પામ્યો હતો. મૃતકોમાં મોટા ભાગે બિહાર, અને બંગાળના મજૂર હતા. બીજી તરફ બીએમસી ડિજાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, કરંટ લાગવાથી બે અલગ-અલગ મામલામાં 3 લોકોના મોત થયા. જ્યારે વીજળી પડવાથી પાલઘરમાં આઠ વર્ષના એક બાળકનું મોત થયું છે.