દિવાળીના તહેવારોથી પહેલા દેશના અલગ અલગ ભાગમાં ફટાકડાને લઈને એક્શન લેવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકારે પહેલા ફટાકડા પર બેન લગાવ્યો હતો. હવે મહારાષ્ટ્ર અને હરિયાણા સુધી તેની અસર જોવા મળી રહી છે.
હરિયાણામાં અહીં ફટાકડાને સળગાવવા પર બેન
મુંબઈમાં બીએમસીનો એક સર્ક્યુલર જારી કરી દેવામાં આવ્યો
આ દિવાળી કોઈ ફટાકડાથી તહેવાર નહીં મનાવે- બીએમસી
મુંબઈમાં બીએમસીનો એક સર્ક્યુલર જારી કરી દેવામાં આવ્યો છે. જેમ મુજબ પ્રાઈવેટ કે પબ્લિક જગ્યાઓ પર ફટાકડા સળગાવવા પર પ્રતિબંધ છે. જો કે ફક્ત 14 નવેમ્બર સુધી પ્રાઈવેટ સોસાયટીમાં રહેનારા લોકોએ તારામંડળ અને ટિકડી જેવા ફટાકડાનો ઉપયોગ કરી શકે છે. બીએમસી તરફથી અપીલ કરવામાં આવી છે કે આ દિવાળી કોઈ ફટાકડાથી તહેવાર નહીં મનાવે. જેથી મુંબઈમાં પ્રદુષણ અને કોરોના વાયરસની લહેરથી બચી શકાય.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ લોકોને અપીલ કરી હતી કે દિવાળી ધ્યાનથી મનાવજો. કેમ કે ફરી લોકડાઉન નહીં લગાવી શકાય.
હરિયાણા સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. જો કે 2 કલાકની છુટ આપી છે. હરિયાણામાં દિવાળી અને ગુરુપર્વના દિવસે રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા સળગાવી શકાય છે. આ ઉપરાંત ક્રિસમસ અને નવા વર્ષની રાતે 11.55થી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆરમાં સતત પ્રદુષણને કારણે સ્થિતિ વણસી રહી છે. એનજીટીએ આદેશ જારી કર્યો છે કે એનજીટીએ સોમવારે પોતાના આદેશ સંભળાવતા દિલ્હી એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડાને ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે બાકીના રાજ્યમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ અથવા ખતરનાક સ્તર પર છે. ત્યાં ફટાકડાને સળગાવવા પર બેન છે.