ચક્રવાત તોફાન અમ્ફાન બાદ હવે વધું એક તોફાન ભારતમાં આવ્યું રહ્યું છે. ચક્રવાત તોફાન નિસર્ગ ઝડપથી મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસરથી આગામી 12 કલાકમાં 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અને ભારે વરસાદ પડી શકે છે. તેમજ ભૂસ્ખલન પણ થઈ શકે છે.
મુંબઈમાં છેલ્લી એક સદીમાં કોઈ વાવાઝોડુ દરિયાકાંઠે અથડાયું નથી
હોસ્પિટલમાં વીજળી ન જાય તેની વ્યવસ્થા કરવામાં આવી
દરિયાકાંઠાના અને કાચા મકાનમાં રહેનારાઓને સલામત સ્થળે ઘસેડાયા
નિસર્ગ સાથે જોડાયેલી મહત્વની જાણકારી
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર છેલ્લી એક સદીમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારું આ પહેલું ચક્રવાત છે. આ અગાઉ 1948 અને 1980 માં બે વાર ચક્રવાતી તોફાન આવ્યુ હતુ. પરંતુ તે દરિયાકાંઠે ત્રાટક્યા નહોતા. સમુદ્ર પોતે જ નબળુ પડી ગયુ હતુ. આ વખતે આ મામલો જુદો દેખાઈ રહ્યો છે. તે સ્પષ્ટ છે કે આ વર્ષ મહારાષ્ટ્ર માટે મોટા પડકારો લાવ્યું છે.
સાઈક્લોન નિસર્ગને લીધે મુંબઈ, તેના પરા વિસ્તાર અને પડોશી જિલ્લો થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાંથી પાછા બોલાવવામાં આવ્યા છે. છ ફૂટની ઉંચાઇની મોજા સમુદ્રમાં ઉછળી રહ્યા છે.
મુંબઈમાં લગભગ 22 હજાર કોરોના દર્દીઓ છે. જે ઘણા હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. તોફાનથી હોસ્પિટલોને વીજળી ન જતી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તંબુમાં બનેલી હંગામી હોસ્પિટલોને ભારે પવનને કારણે નુકસાન પહોંચી શકે છે. તેથી દર્દીઓને ત્યાંના સલામત કેન્દ્રોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ અને દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના સંચાલકો સાથે વાત કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
અરબી સમુદ્રમાં હવાના દબાણના કારણે સર્જાયેલું ચક્રવાત નિસર્ગ 3 જૂનના બપોરે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવાની શક્યતા છે. આ માટે મુંબઈ સહિતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર સજાગ છે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ લઈ જવાની ઝુંબેશને વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
એવો અંદાજ છે કે 3 જૂનના બપોરે તે દમણ અને રાયગઢ જિલ્લામાં અલીબાગની નજીક હરિહરદેશ્વર કાંઠેથી પસાર થશે. આ દરમિયાન તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતી તોફાનની અસર દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 100 થી 120 કિલોમીટરની વચ્ચે હોઇ શકે છે. આ અસરને કારણે મુંબઇ, થાણે અને પાલઘરમાં જોરદાર વરસાદ પડશે. ખાસ કરીને મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
મહારાષ્ટ્રના 750 કિમીમીટર લાંબા સમુદ્ર કિનારાના તમામ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમનો ફરજ પર મુકવામાં આવી છે. પહેલા ફક્ત 10 ટીમ ફરજ પર મુકવામાં આવી છે અને 6 ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. પરંતુ તોફાનની રફ્તાર અને તેના થનારા શક્ય નુકશાનને જોતા તમામ 16 ટીમોને ફરજ પર ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત 5 ટીમો બોલાવવામાં આવી છે.
આ વાવાઝોડું સૌથી પહેલા હરિહરેશ્વરથી પસાર થશે. આથી રાયગઢ જિલ્લામાં એનડીઆરએફની 4 ટીમો, મુંબઈમાં 3, પાલઘરમાં 2 અને થાણેમાં 2 ટીમો ફરજ પર રાખવામાં આવી છે.
વરસાદની મોસમમાં મુંબઈ એમ પણ આ જ રીતે બેહાલ થઈ જાય છે. આ વખતે આખું વહીવટી તંત્ર કોરોનાનો સામનો કરવામાં વ્યસ્ત છે. પરિણામે ચોમાસા પહેલા આ વખતે નાળાઓની સફાઇ પણ માત્ર 15 થી 20 ટકા કરી દેવામાં આવી છે. જો શહેરમાં પાણી ભરાયા તો તેના નિકાલનો માર્ગ પણ સ્પષ્ટ નથી.