મુંબઇના વાશી રેલવે સ્ટેશન પર એક મોટી દૂર્ઘટના ઘટના થતા રહી. પનવેલ તરફ જઇ રહીલે લોકલ ટ્રેનમાં બુધવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ પેન્ટોગ્રાફમાં લાગી. જો કે ત્યારબાદ વાશી રેલવે સ્ટેશનને ખાલી કરવામાં આવ્યું હતું.
મુંબઇના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગનો બનાવ
વાશી રેલવે સ્ટેશનને કરાવાયું ખાલી
Central Railway: Minor flames were seen rising out of the pantograph, and were soon extinguished by the railway staff at the station. No injuries were reported. All the services are functioning normally now. https://t.co/NiW1bscq5V
ટ્રેનમાં આગ લાગ્યા બાદ ઝડપથી લોક ટ્રેનને ખાલી કરાવવામાં આવી. સુરક્ષાને લઇને વાશી રેલવે સ્ટેશનને પણ ખાલી કરાવામાં આવ્યું. જ્યારે આગ પર કાબૂ મેળવ્યા અગાઉ રેલવે સ્ટેશનનો વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો. જો કે આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવતાં કોઇ જાનહાનિ થઇ નથી.
હાલમાં ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે, પરંતુ આગ લાગવાની ઘટના બાદ આ લાઇન પર બધી ટ્રેન સમય કરતાં થોડી મોડી ચાલી રહી છે. એક મળતી જાણકારી મુજબ કોઇએ પેંટોગ્રાફમાં બેગ ફેકી હતી. જેના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગ લાગવાના કારણે 12 મીનિટ સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત થયેલો જોવા મળ્યો હતો. જો કે હવે રેલવે વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.