મુંબઈ: પરેલ ખાતે આવેલા ક્રિસ્ટલ ટાવરમાં આગ લાગવાની ઘટનામાં એક 10 વર્ષની બાળકી ફ્લેટમાં ફસાયેલા લોકો માટે ભગવાન બનીને આવી. આ બાળકીએ પોતાની સુઝબુઝથી અનેક લોકોના જીવ બચાવ્યા હતા. જો 10 વર્ષની બાળકી ન હોત તો બિલ્ડિંગમાં આગના કારણે મૃત્યુઆંક વધ્યો હોત.
મહત્વનું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. જે સમયે ટાવરમાં આગ લાગી હતી ત્યારે 16માં ફ્લોર પર રહેતા સદાવત્રે પરિવારની 10 વર્ષીય બાળકીએ આસપાસના લોકોને બચાવ્યા હતા.
આગ લાગી તે સમયે બધા લોકો આમ તેમ ભાગદોડ કરી રહ્યા હતા. જોકે જેન સદાવત્રેએ પાડોશીઓને એલર્ટ કર્યા અને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે સૂતરના કપડાને પાણીમાં ભીનું કરીને માસ્ક બનાવ્યા અને તમામ લોકોને માસ્ક બંધાવ્યા.
Zen Gunratan Sadavarte a 10-year-old girl helped in evacuation operation during the fire that broke out in Mumbai's Crystal Tower today says. 'I convinced people to put wet cloth on their face so that they do not suffocate. I had done a research on this.' #Maharashtrapic.twitter.com/9Gk7vgDao2
ઉલ્લેખનીય છે કે આ મામલે જેન સદાવત્રેએ જાહેર માધ્યમો સાથેની એક મુલાકાતમાં જણાવ્યું કે આવા માસ્ક બનાવાની ટેક્નીક તેને ત્રીજા ક્લાસમાં શીખી હતી. જ્યારે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર રિસર્ચ કરી રહી હતી. 10 વર્ષીય બાળકીએ જણાવ્યું કે ભીનું કપડું મો પર બાંધવાથી શ્વાસ લેતા સમયે ધુમાડો અંદર નથી જતો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. આમ કરવાથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી ન પડી અને સરળતાથી લોકો બહાર નીકળી શક્યા.
આપને જણાવી દઇએ કે ગતરોજ મુંબઇના પરેલ વિસ્તારમાં આવેલ ક્રિસ્ટલ ટાવર નામના એક બિલ્ડીંગમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે વાતાવરણમાં અફરાફરીનો માહોલ સર્જાયો હતો. જો કે 16માં માળે રહેતી એક 10 વર્ષીય બાળાએ પોતાની આગવી સુઝબુઝને કારણે કેટલાય લોકોના જીવ બચાવી લેતા સ્થાનિક લોકોએ તેના આ કાર્યને બિરદાવેલ.