પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ. એક વિમાન એરપોર્ટ લેન્ડિંગ થતા પહેલા તોફાનમાં ફસાઇ ગયું.
દુર્ગાપુરમાં ફ્લાઇટ ફસાઇ હતી વાવાઝોડામાં
40 મુસાફરો ઇજાગ્રસ્ત, 10 ગંભીર
કેબિનનો સામના પડવા લાગ્યો, જેને લઇને લોકોને થઇ ઇજા
વિમાનના તોફાનમાં ફસાયા બાદ તેના કેબિનનો સામના પડવા લાગ્યો અને તેના કારણે વિમાનમાં સવાર 40 મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા. મળતી માહિતી અનુસાર, સ્પાઇસજેટ બોઇંગ 737 વિમાનને મુંબઈથી દુર્ગાપુરના અંડાલ સ્થિત કાજી નજરૂલ ઇસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. વિમાન એરપોર્ટ પર લેન્ડ થવાનું જ હતું કે ભારે પવનમાં ફસાઇ ગયું. વિમાન હવામાં જ અટકી ગયું. આ દરમિયાન વિમાનના કેબિનમાં રાખેલો સામાન પડવા લાગ્યો.
#WeatherUpdate: Due to bad weather in Durgapur (RDP), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/VkU7yLjZly.
વિમાનના કેબિનમાં રાખેલો સામાન નીચે પડવાથી 40 મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા. વિમાનના લેન્ડિંગ બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં 10ની હાલત ગંભીર ગણાઇ રહી છે. અન્ય 30 ઇજાગ્રસ્તોની હાલત ખતરાથી બહાર ગણવામાં આવી રહી છે. આ ઘટનાને લઇને સ્પાઇસજેટે પણ નિવેદન આપ્યું છે.
સ્પાઇસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, ફ્લાઇટ સંખ્યા SG-945એ મુંબઈથી દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ તોફાનમાં ફંસાઇ ગઇ જેના કારણે કેટલાક મુસાફરોને ઇજા પહોંચી છે. સ્પાઇશ જેટના પ્રવક્તાએ કહ્યું કે, ફ્લાઇટના દુર્ગાપુર પહોંચતા જ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી.
સ્પાઇસજેટ એક્સપ્રેસે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, અમે ઇજાગ્રસ્તોની તમામ સંભવ મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તમામ ઇજાગ્રસ્તોની સારવાર રાનીગંજની હોસ્પિટલમાં ચાલી રહી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર બાદ અંડાલ માટે રિફર કરી દીધા છે.