મુંબઇના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશયી થતાં 7 લોકોના મોત થયાં છે. જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઘટનાના અનેક કલાકો બાદ હજુય 40થી વધુ લોકો દટાયેલા છે. જેમને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યું કરાઈ રહ્યા છે.
મુંબઇના ડોંગરી વિસ્તારમાં મંગળવારે ચાર માળનું બિલ્ડીંગ ધરાશયી થયું હતું. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. જો કે અત્યાર સુધી 5લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 8 લોકો ગંભીર છે. જો કે હજુ પણ કેટલાય લોકો નીચે દટાઇ રહેલા હોવાનું જાણવા મળ્યું છે. એનડીઆરએફના જણાવ્યા અનુસાર સાંકળી ગલી હોવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસની ઘણા બિલ્ડીંગો ખાલી કરાવવામાં આવ્યા છે.
#WATCH Mumbai: A woman being rescued by NDRF personnel from the debris of the building that collapsed in Dongri, today. 2 people have died & 7 people have been injured in the incident. #Maharashtrapic.twitter.com/tmzV3Dmm7C
બીએમસીનું કહેવું છે કે આજે બપોરે 11 વાગ્યેને 48 મીનિટ પર ડોંગરીના ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામના બિલ્ડીંગનો અડધો ભાગ ધરાશયી થઇ ગયો. આ બિલ્ડીંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે અને ખૂબ જ જૂનું છે, બિલ્ડીંગમાં ઘણા પરિવાર રહી રહ્યા હતા. બિલ્ડીંગના કાટમાળમાં 40 થી 50 લોકો દટાયા હોવાની આશંકા છે.
એક પ્રત્યદર્શીનું કહેવું છે કે આ બિલ્ડીંગ 80 થી 100 વર્ષ જૂની છે અને એમાં 8 થી 10 પરિવાર રહે છે. જ્યારે બિલ્ડીંગ ધરાશયી થયું તો એમાં 40 લોકો હતા. એક બાળકને જીવતું બચાવવામાં આવ્યું છે. બાકીના લોકોને કાટમાળમાંથી નિકાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
2/2 3 teams of NDRF, fire brigade, our disaster management team as well as all senior officials of MCGM are on the site. Rescue work is in progress & we request citizens to cooperate with the authorities.
ભારે વરસાદે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કહેર મચાવી દીધી છેઆ વચ્ચે ઉત્તર-પશ્વિમ મુંબઇના મલાડમાં 2 જુલાઇએ સવારે એક દીવાલ ધરાશયી થવાથી 13 લોકોના મોત થયા હતા. તો બીજી બાજુ પૂનામાં પણ એક દીવાલ પડવાથી સાત લોકોના મોત થયા હતા. મલાડ ઉપનગરના પિંપરીપાડા સ્થિત એક સ્કૂલની દીવાલ પડવાથી 13 થી વધુ લોકોના મોત થયા હતા.
To speed up the rescue operation one more #NDRF team mobolised.