ભારતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવ્યો છે અને સાથે સાથે એક સમયે જે સૌથી મોટા હોટસ્પોટ વિસ્તાર ગણાતા હતા ત્યાંથી કોરોના વાયરસનો એક પણ નવો કેસ સામે આવી રહ્યો નથી
શનિવારે દાદરમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા શૂન્ય
શુક્રવારે ધરાવીમાં પણ એક પણ કેસ સામે આવ્યો ન હતો
એક સમયે આ વિસ્તારો હતા સૌથી મોટા હોટસ્પોટ
મહામારી સામે જંગમાં રાહત
કોરોન વાયરસ સંક્રમણમાં મુંબઈથી સતત રાહત આપે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના જે વિસ્તાર ઓગસ્ટ-સપ્ટેમ્બરના કોરોના વાયરસના હોટસ્પોટ હતા તે વિસ્તારમાં હવે કોરોના વાયરસના એક પણ કેસ સામે આવતા નથી. પહેલા તો ધારાવીમાં શુક્રવારે કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નહીં અને હવે શનિવારે દાદરમાંથી પણ રાહતના સમાચાર આવ્યા.
દાદરમાં નથી આવી રહ્યા નવા કેસ
શનિવારે મુંબઈના કોરોના વાયરસના હોટસ્પોટ વિસ્તાર દાદરમાંથી કોરોના વાયરસનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી જે બાદ મહારાષ્ટ્રનું સ્વાસ્થ્ય વિભાગ પણ સંતુષ્ટ છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર દાદરમાં શનિવારે કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી અને બીમસીના એક અધિકારી અનુસાર 30 એપ્રિલ બાદ આવું પહેલીવાર થયું છે કે દાદરમાંથી કોરોના વાયરસનો કેસ આવ્યો ન હોય.
ધારાવીમાંથી મળી રાહત
નોંધનીય છે કે આ પહેલા શુક્રવારે પણ મોટી રાહત મળી હતી ત્યારે ધારાવીમાં એક પણ કેસ સામે ન આવ્યો, જોકે શનિવારે ત્યાંથી કોરોના વાયરસનો એક કેસ પકડાયો છે. નોંધનીય છે કે એક સમય હતો જ્યારે ધારાવી વિશ્વમાં સૌથી જોખમી હોટસ્પોટ બની ગઈ હતી.
મુંબઈમાં પણ ઘટી રહ્યા છે કેસ
નોંધનીય છે કે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સના કારણે ફાયદો મળી રહ્યો છે અને સંક્રમણની રફતાર પણ ઘટી ગઈ છે. મુંબઈમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના 536 કેસ સામે આવ્યા જ્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે શહેરમાં રિકવરી રેટ પણ 93 ટકા પર પહોંચી ગયો છે.