20 હજારથી વધારે કેસ પર લોકડાઉનની વાત કરી હતી મેયર કિશોરી પેડનેકરે
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ છે. આજે કોરોનાના રેકોર્ડબ્રેક 20,281 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નોંધાયા છે. દેશની આર્થિક રાજધાનીમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે વધીને 79,260 થઈ ગઈ છે. શહેરની હોસ્પિટલોમાં ૧૬ ટકા બેડ દર્દીઓથી ભરેલી છે. દરમિયાન 500થી વધુ ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે.
Mumbai reports 20,181 new cases of COVID19, 4 deaths today; Active caseload stands at 79,260 pic.twitter.com/JyL5edG0Uz
શું હવે મુંબઈમાં લાગશે લોકડાઉન, મેયર પેડનેકર કહી ચૂક્યા છે
મુંબઈમાં દૈનિક 20 હજારથી વધારે કેસ આવવા પર લોકડાઉન લગાડવાની જાહેરાત મેયર કિશોરી પેડનેકર કરી ચૂક્યા છે. આજે મુંબઈમાં 20,000 થી વધુ કેસ આવ્યાં છે એટલે કે હવે મુંબઈમાં લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે.
ત્રીજી લહેરની શરુઆત બાદ મુંબઈમાં પહેલી વાર કોરોનાાના દૈનિક કેસનો આંકડો 20 હજારને પાર પહોંચ્યો છે. 20 હજારથી વધારે કેસ આવવા પર લોકડાઉન લાગુ પાડવાની વાત મેયર કરી ચૂક્યા છે એટલે કે હવે આગામી સમયમાં ગમે ત્યારે મુંબઈમાં લોકડાઉન જાહેર થઈ શકે છે. મુંબઈમાં ત્રીજી લહેર આવી છે.
આ 5 રાજ્યોમાં સૌથી વધુ કેસ
દેશમાં પાંચ રાજ્યો મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)માં કોરોનાના સૌથી વધારે કેસ છે. નવા 90,928 કેસોમાંથી 66.97 ટકા માત્ર પાંચ રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં એકલા મહારાષ્ટ્રમાંથી ૨૯.૧૯ ટકા કેસ છે. આ 5 રાજ્યોમાં દેશના કુલ કેસમાંથી 66 ટકા કેસ મળી આવ્યા છે.