કોરોના સંકટ દેશમાંથી હજી ટળ્યું નથી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો બેદરકાર બનીને કારણ વગર આમ-તેમ ફરી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરતા નથી અને માસ્ક પણ પહેરતા નથી. ત્યારે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર મનપાનો આકરો નિર્ણય
માસ્ત નહીં પહેરનાર વ્યક્તિએ રસ્તા પર વાળવો પડશે કચરો
નેતાઓની વારંવાર અપીલ છતાં મુંબઇકરો નથી માની રહ્યા ચેતવણી
મુંબઇ મહાનગરપાલિકાએ તાજેતરમાં જાહેર કરેલા કડક નિયમો અનુસાર, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને વ્યક્તિઓને ચેતવણી આપી હતી કે, દંડ નહીં ચૂકવી શકનાર વ્યક્તિએ સજાના ભાગરૂપે રસ્તા પર કચરો સાફ કરવો પડશે.
100થી વધુ લોકો ફેસ માસ્ક વગર ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, 2 દિવસોમાં 100થી વધુ લોકો ફેસ માસ્ક વગર ઝડપાયા છે. આ લોકોએ 200 રૂપિયાનો દંડ ભરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમને ઝાડું સોંપવામાં આવ્યું હતું અને કહ્યું કહે શહેરના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવે.
નેતાઓની વારંવાર અપીલ છતાં મુંબઇકરો નથી માની રહ્યા ચેતવણી
દિલચસ્પ વાત એ છે કે, મુંબઇ મનપાએ શુક્રવારે કહ્યું હતું કે, 212 દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 3,49,34,800 રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. જેમાં ઓક્ટોબરમાં જ માત્ર 18,21,400 રૂપિયાનો સમાવશે થાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને અન્ય નેતાઓ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં મુંબઇકરો ચેતવણીને ધ્યાને લઇ રહ્યા નથી અને માસ્ક વગરત ગાડી ચલાવી રહ્યા છે.
દરરોજના 20 હજારથી વધુ ગુના નોંધાઇ રહ્યા છે
કોરોનાની વધી રહેલી રફતાર ખરેખર દેશ માટે ચિંતાજનક છે. રિકવરી રેટ સારો છે પરંતુ કેસમાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 20 હજારથી વધુ કેસ નોંધાવાનું લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. મનપાના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકાર અને મનપા વારંવાર લોકોને માસ્ક પહેરવા માટે અનુરોધ કરી રહી છે પરંતુ કેટલાય લોકો એવા છે જે અપીલનું પાલન નથી કરી રહ્યા.