મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. હાલ ચાલી રહેલા આંશિક લૉકડાઉન અને પ્રતિબંધોને કારણે ગત 24 કલાકમાં નોંધાયેલા કેસમાં ઘટાડો નોંધાયો છે.
મહારાષ્ટ્રમાં આંશિક લૉકડાઉનની અસર પડી
મુંબઇમાં કોરોનાના કેસમાં ઘટાડો
વિરલ ભાયાણીએ શેર કરી માહિતી
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ સરકાર દ્વારા 1 મે સુધી અમલમાં મૂકાયેલી 'બ્રેક ધ ચેન' હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં દરરોજ 60 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. તો 800થી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો આ તરફ મુંબઇમાં કોરોનાના કેસમાં ઘટાડો નોઁધાયો છે.
મુંબઇમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
મહારાષ્ટ્રની રાજધાની, મુંબઇમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. શનિવાર પછી બીજા દિવસે રવિવારે પણ નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 5542 નવા કેસ નોંધાયા છે. તો 64 લોકોનાં મોત નીપજ્યાં છે. પાંચ હજારથી વધુ નવા કેસ સાથે મુંબઇમાં સક્રિય કેસની સંખ્યા 75740 પર આવી છે. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈના કોરોનાથી 8478 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, મુંબઇના કુલ 5,37,711 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે શહેરમાં 12783 લોકોનાં મોત પણ થયા છે. બોલીવૂડ સાથે સંકળાયેલા વિરલ ભાયાણીએ કોરોનાના ઘટી રહેલા કેસ વિશે પોતાના ઇન્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 61,450 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. તે જ સમયે, મૃત્યુની સંખ્યા 832 રહી છે. રાજ્યમાં દરરોજ મૃતકોની સંખ્યા વધી રહી છે, જેના કારણે ચિંતા વધી છે. નવા કેસો પછી સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 6,98,354 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 35,30,060 ઉપચાર કરવામાં આવ્યા છે. તે જ સમયે, મૃત્યુઆંકની કુલ સંખ્યા 64,760 પર પહોંચી ગઈ છે.
ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ આવ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના છે જેના કારણે ચિંતા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શનિવારે કહેવાયું છે કે કોરોનાના દૈનિક નવા કેસમાં 74.15 ટકાનો વધારો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજ્યોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.