મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારમાં સામેલ કોંગ્રેસ (Congress) ખુશ નથી. તેનું કારણ છે કે, કોંગ્રેસને લાગે છે કે, તેને મહત્વપૂર્ણ મંત્રાલય આપવામાં આવ્યા નથી. શિવસેનાના 'મહા વિકાસ અઘાડી' સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે.
ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખુશ નથી કોંગ્રેસ
કોંગ્રેસે મહત્વપૂર્ણ મંત્રાલયની માંગ કરી
કોંગ્રેસે એનસીપી અને શિવસેનાની સામે પોતાની માંગ રાખી
NCP અને શિવસેનાની સામે રાખી છે પોતાની માંગ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટ ( Balasaheb Thorat) એ શનિવારે કહ્યું, 'કોંગ્રેસ પાસે હાલ જેટલા મંત્રાલય છે, આ સિવાય તેને કેટલાક વધુ મહત્વપૂર્ણ મંત્રાલય જોઇએ છે.' કોંગ્રેસે એનસીપી અને શિવસેનાની સામે પોતાની માંગ રાખી છે.
આ મોટા મંત્રાલય ઇચ્છે છે કોંગ્રેસ
સૂત્રો મુજબ, કોંગ્રેસ કેટલાક મોટા મહત્વપૂર્ણ મંત્રાલય ઇચ્છે છે. ગૃહ નિર્માણ, ઇન્ડસ્ટ્રી, ગ્રામ્ય વિકાસ અને કૃષિ જેવા મંત્રાલયો પર કોંગ્રેસની નજર છે. આમાંથી ઓછામાં ઓછા બે મંત્રાલય કોંગ્રેસ કોઇપણ કિંમતે પોતાના ખાતામાં ઇચ્છે છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસે આલા કમાનને દર્શાવી પોતાની નારાજગી
કોંગ્રેસ પાસે હાલ જે વિભાગ છે, તેમાંથી મોટાભાગના વિભાગોથી જનતા સાથે સીધી કનેક્ટ નથી થતી. તેને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસે દિલ્હી આલાકમાન સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આલા કમાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને પણ તેની જાણકારી આપી દીધી છે.
નોંધનીય છે કે, એનસીપીના નેતા અજીત પવારે શુક્રવારે કહ્યું હતું કે, રાજ્યમાં 30 ડિસેમ્બરે મંત્રિપરિષદનું વિસ્તરણ કરાશે. મીડિયાના સૂત્રો અને રાજ્યના વિભિન્ન નેતાઓના નિવેદનથી સંકેત મળે છે કે, બારામતીના ધારાસભ્ય 'મહારાષ્ટ્ર વિકાસ અઘાડી' સરકારમાં ઉપમુખ્યમંત્રી પદની દોડમાં સૌથી આગળ છે.