મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બુધવારે મોડી રાતે ભયંકર દુર્ઘટના ઘટી હતી.
ઓછોમાં ઓછા 11 લોકોના મોત થયા
જ્યારે 8 ઘાયલ થયા છે
ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન જારી
11 લોકોના મોત થયા
ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 11ના મોત થયા હતા. બીએમસીએ સૂચના આપી કે બુધવારે મોડી રાતે મલાડના પશ્ચિમના ન્યૂ કલેક્ટર પરિષરમાં રેસીડેન્સિયલ બિલ્ડિંગ ધરાશાયી થતા ઓછોમાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે 8 ઘાયલ થયા છે.
It was a 4-storey building sheltering at least 7 people. 5 of them rescued so far. Two more buildings opposite to it were demolished. 2 children rescued from there. Police arrived as soon as we called them followed by arrival of fire brigade: Shahnawaz khan, a local#Mumbaipic.twitter.com/7djp5hqC3s
ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન જારી
બીએમસી અનુસાર આ ઘટનાની પાસે એક રહેલ એક રેસીડેન્સિયલ બિલ્ડિંગને પણ અસર પહોંચી છે. જો કે તે બિલ્ડિંગના લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા છે. જણાવાઈ રહ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. ઘાયલોને બીડીબીએ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે.
મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવવામાં આવ્યા
મુંબઈમાં ઝોન 11ના ડીસીપી વિશાલ ઠાકુરે કહ્યુ કે મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળમાં હજું લોકો ફસાયેલા હોવાની આશંકા છે. લોકોને બચાવવા માટે ટીમ હાજર છે. ત્યારે ઘટના સ્થળ પર પહોંચી મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે વરસાદના કારણે ઈમારતો પડી રહી છે. બચાવ અભિયાન જારી છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઈમારતના કાટમાળને હટાવાઈ રહ્યો છે. જેથી એ જોઈ શકાય કે લોકો કેટલા નીચે ફસાયા છે.
Buildings have collapsed due to rain. Rescue operation is underway. Injured people have been shifted to the hospital. Debris of the buildings being removed to see if more people are stuck under it: Maharashtra Minister Aslam Shaikh pic.twitter.com/Jwixu8FmgJ
ઘટના સમયે હાજર સ્થાનીક સિદ્દીકીએ જણાવ્યું કે ઘટના રાતે 10 વાગ્યે બની હતી. નજરે જોનારનું કહેવુ છે કે આ ઘટના રાતે 10.15 વાગે બની. 2 લોકો દ્વારા અમને આ ઈમારત છોડી બહાર આવવાનું કહેવામાં આવ્યા બાદ હું બહાર આવ્યો. જેવો હું બહાર નિકળ્યો કે મે જોયુ કે અમારી ઈમારતની પાસેની ડેરી સહિત 3 ઈમારતો ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.